:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કસલપુર ગામનો મુખ્ય રસ્તો 15 વર્ષથી ખખડધજ: બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર, રોડ નહી… તો વોટ નહીં !

top-news
  • 01 Apr, 2024

આપણાં દેશના નેતાઓની જૂની આદત છે, ચૂંટણી આવે ત્યારે તેઓ જનતાની વચ્ચે જઈને લોકશાહીના નામે મોટા મોટા વચનો આપીને લોકોનો વિશ્વાસ મેળવવાનો પૂરતો પ્રયાસ કરે છે પરંતુ ચુંટણી બાદ બધા વચનોની સાથે નેતાઓ પણ ગાયબ થઈ જતાં જોવા મળે છે, આવો જ એક કિસ્સો હાલમાં બનાસકાંઠાના એક ગામડા માં બન્યો, બનાવની વિગત મુજબ કસલપુર નામના ગામ માં છેલ્લા 15 વર્ષથી મુખ્ય રસ્તાની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે,

પરંતુ તેમની માંગણીને કોઈ ગણકારતું જ નથી , ચુંટણી વેળાએ નેતાઓ સામન્ય જનતા સમક્ષ હાથ જોડી પહોંચી જાય, પરંતુ ચૂંટણી બાદ નેતાજી ગાયબ થઈ જાય.. અને લોકોની સમસ્યા ભૂલી જાય.. આવી જ પીડાથી ત્રસ્ત મતદારોએ આ વખતે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અને પાટણ લોકસભા વિસ્તારમાં આવતા કસલપુરા ગામના લોકોમાં આક્રોશ છે.

કસલપુર ગામનો મુખ્ય રસ્તો છેલ્લા 15 વર્ષથી ખખડધજ છે. ત્યારે હવે લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે, રોડ નહીં.. તો વોટ નહીં.. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે આજદિન સુધી ન કોઈ સાંસદ કે ન કોઈ ધારાસભ્ય તેમને સાંભળે છે. ત્યારે હવે સ્થાનિકોએઓ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎