:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

“અંજુ કી જાપાન ડાયરી” પુસ્તકનું વિમોચન : મુકેશ એમ. પટેલ દ્વારા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન..

top-news
  • 01 Apr, 2024

ભારતમાં જાપાનના પ્રથમ માનદ કોન્સલ શ્રી મુકેશ એમ. પટેલના સન્માન સમારોહનું આયોજન ગુરુવાર, ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં કરવામાં આવ્યું હતું. 

એએમએ દ્રારા સન્માન સમારોહની સાથે ગુરુવાર, ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી શ્રીમતી અંજના શિનોડા દ્રારા લખાયેલ “અંજુ કી જાપાન ડાયરી” પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.  જાપાનના માનદ કોન્સ્યુલ શ્રી મુકેશ એમ. પટેલ, પ્રમુખ, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA), ગુજરાત અને ડૉ. સાવન ગોડિયાવાલા, પ્રમુખ, એએમએ (AMA) આ પુસ્તકનું વિમોચન કર્યું હતું અને શ્રીમતી અંજના શિનોડાએ તેમની પ્રેરણાદાયી સફર વિશે વાત કરી ત્યાર બાદ તેમના આ પુસ્તક વિશેના વિચારો રજુ કર્યા હતા.

શ્રીમતી અંજના શિનોડાનો જન્મ ૧૯૬૩માં કોટા, રાજસ્થાનમાં થયો હતો અને તેમણે ૧૯૮૮માં એક જાપાનીઝ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્રીઓ છે. તેઓ અંગ્રેજી, જાપાનીઝ ભાષા શીખવવાની સાથે જાપાનમાં હોટ સ્પ્રિંગ્સ, સ્થાનિક પ્રવાસો અને જાપાનીઝ ભોજનનો આનંદ માણે છે. તેઓ એએમએમાં જાપાનીઝ ભાષા અને જાપાનીઝ રસોઈકળાના વર્કશોપનું આયોજન પણ કરે છે. 

વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎