“અંજુ કી જાપાન ડાયરી” પુસ્તકનું વિમોચન : મુકેશ એમ. પટેલ દ્વારા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01042024_095944_WhatsApp Image 2024-04-01 at 3.05.07 PM.jpeg)
- 01 Apr, 2024
ભારતમાં જાપાનના પ્રથમ માનદ કોન્સલ શ્રી મુકેશ એમ. પટેલના સન્માન સમારોહનું આયોજન ગુરુવાર, ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં કરવામાં આવ્યું હતું.
એએમએ દ્રારા સન્માન સમારોહની સાથે ગુરુવાર, ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી શ્રીમતી અંજના શિનોડા દ્રારા લખાયેલ “અંજુ કી જાપાન ડાયરી” પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જાપાનના માનદ કોન્સ્યુલ શ્રી મુકેશ એમ. પટેલ, પ્રમુખ, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA), ગુજરાત અને ડૉ. સાવન ગોડિયાવાલા, પ્રમુખ, એએમએ (AMA) આ પુસ્તકનું વિમોચન કર્યું હતું અને શ્રીમતી અંજના શિનોડાએ તેમની પ્રેરણાદાયી સફર વિશે વાત કરી ત્યાર બાદ તેમના આ પુસ્તક વિશેના વિચારો રજુ કર્યા હતા.
શ્રીમતી અંજના શિનોડાનો જન્મ ૧૯૬૩માં કોટા, રાજસ્થાનમાં થયો હતો અને તેમણે ૧૯૮૮માં એક જાપાનીઝ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્રીઓ છે. તેઓ અંગ્રેજી, જાપાનીઝ ભાષા શીખવવાની સાથે જાપાનમાં હોટ સ્પ્રિંગ્સ, સ્થાનિક પ્રવાસો અને જાપાનીઝ ભોજનનો આનંદ માણે છે. તેઓ એએમએમાં જાપાનીઝ ભાષા અને જાપાનીઝ રસોઈકળાના વર્કશોપનું આયોજન પણ કરે છે.
વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ