:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સરકારી શાળામાં એડમિશન લેવા પડાપડી , અહો આશ્ચર્ય ..!!! ડોક્ટર્સ, વકીલો પણ દીકરા માટે ફોર્મ લેવા લાઇનમાં લાગ્યા..

top-news
  • 08 Apr, 2024

આવનારા વર્ષે પોતાના બાળક માટે ઍડ્મિશન લેવા માટે દરેક વાલી ખુબ જ ઉત્સાહભેર લાઇનમાં ઊભો રહે તો એમાં કાંઈ નવાઈ પામવા જેવી વાત નથી, હા પણ જો વાલી સરકારી શાળામાં પ્રવેશ માટે લાઇન લગાવીને ઊભો રહે તો ચોક્કસ અચરજ લાગી શકે છે, એવી જ એક ઘટના સુરતની એક સરકારી શાળામાં ઍડ્મિશન લેવા માટે બની હતી .

પ્રાપ્ત મહિતી અનુસાર હાલમાં સુરતમાં આવેલી મહાનગરપાલિકા સમિતિની શાળા મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતા જ એડમિશન માટે મોટી-મોટી લાઈનો જોવા મળી. સરકારી શાળામાં એડમિશન લેવા માટે જાણે વાલીઓ પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જ્યાં નજર જઈ રહી છે વાલીઓ જ વાલીઓ જોવા મળી રહ્યા છે.

મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસ થાય છે. જેમાં આજે નામ નોંધણી કરવામાં આવશે.જેને લઈ મોટી સંખ્યામાં વાલીઓ અહીં પહોંચ્યા છે.ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા હતા અને 3 હજાર જેટલું વેઈટીંગ હતું. જ્યારે આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે.

સરકારી શાળામાં એડમિશન માટે આટલી મોટી કતારમાં વાલીઓ ઉભા છે. વહેલી સવારથી આ શાળામાં પોતાના બાળકને એડમિશન અપાવવા માટે વાલીઓ લાઈનો લગાવીને ઉભા છે.
આ સાથે જ વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરવા માટે મોટી ફીનો ખર્ચ ઉઠાવવો પડતો નથી. ડિજિટલ બોર્ડ, કોમ્યુટર કલાસ, સ્માર્ટ કલાસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે અને વાલીઓનો મત મુજ  અહીંયા બાળકોને ઉત્તમકક્ષાના શિક્ષકો અભ્યાસ કરાવે છે.

સુરતની આ શાળામાં એક કેમ્પસમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. જેમાં એક અંગ્રેજી મીડિયમ, બે ગુજરાતી મીડિયમની શાળા આવેલી છે. આ શાળામાં વકીલો, ડોકટર્સ સહિતના વ્યવસાયમાં જોડાયેલા લોકોના સંતાનો અભ્યાસ કરે છે. અહીં મધ્યાહન ભોજનની સાથે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ શાળા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎