:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

AMC સંચાલિત બગીચાઓની દયનીય હાલત, શહેરીજનો હેરાન , ના ટૉયલેટ, ના પીવાનું પાણી...

top-news
  • 13 Apr, 2024

રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં લોકો ગરમીથી બચવા માટે આવીને બેસતા હોય છે. કોર્પોરેશનના ગાર્ડનમાં છાંયડો હોવાથી ઠંડકમાં લોકો બેસવા માટે તેમજ સવાર -સાંજ ચાલવા માટે , કસરત કરવા આવતા હોય છે. પરંતુ જો ગાર્ડનમાં પીવાનું પાણી ન મળે તો ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ જતાં હોય છે. 

રાજ્યમાં ગરમીમાં પ્રમાણમાં વધારો થતા લોકો આરામ કરવા માટે છાંયડો શોધતા બગીચામાં આવે છે પણ પૂરતી વ્યવસ્થા તેમને મળતી નથી. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોના ખર્ચે તૈયાર કરેલા ગાર્ડનમાં પાણી માટેની યોગ્ય વ્યવસ્થા જ નથી.પીવાના પાણી માટે ગાર્ડનમાં વોટર કૂલર તો લગાવ્યા છે પણ ધૂળ ખાઈ રહ્યા છે. વોટર કૂલર ચાલુ કરવાની સાથે તેમનું મેન્ટેનેન્સ કરવા માટે અધિકારીઓને રસ પણ ધરાવતા નથી . 

સૂત્રોના જણાવ્યા  અનુસાર કેટલાક ગાર્ડનમાં તો ટોયલેટની સુવિધા પણ સારી હોતી નથી. આવી ગરમીમાં માણસને પાણીની તરસ લાગે. તે ઉપરાંત સવારે વોકીંગ કરવા માણસો આવતા હોય. જેમાં વૃદ્ધ હોય કે કોઈ બાળક હોય, તે લોકોને પાણીની સાથે ટોયલેટની જરૂરીયાત હોય જ. ઉપરાંત અત્યારે વેકેશનની શરૂઆત થશે. તેથી સામાન્ય જનમાણસ પણ અહીંયા જ આવવાનાં છે. ઘણા બગીચાઓમાં પાણી માટે વોટર કુલર તો હોય છે પણ તે ઘણા સમયથી બંધ હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક 293 જેટલા ગાર્ડન છે. જેમાં મોટા ભાગના ગાર્ડનમાં પીવાના પાણી માટે વોટર કૂલર લગાવવામાં આવ્યા જ નથી. તો જ્યાં કરોડોનો ખર્ચ કરી વોટર કૂલર લગાવ્યા છે ત્યાં મેન્ટેનેન્સ પણ થતું ન હોવાથી જનતાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. કેટલાક ગાર્ડન એવા પણ છે કે જેમાં વોટર કૂલર ન હોવાથી સ્થાનિકોએ પોતાના ખર્ચે પીવાના પાણી માટે કુંડીઓ મૂકી છે. મળતી વિગત મુજબ  છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટેની બગીચાઓમાં કોઈ વ્યસ્થા જ નથી. જેને કારણે સવાર અને સાંજે ગાર્ડનમાં આવતા લોકોને તકલીફ પડે  છે.  અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને ગાર્ડન તો ઘણા સારા બનાવ્યા છે ,પરંતુ જો તેમાં આવતા લોકોને માટે પીવાના પાણીની તેમજ ટોયલેટની સુવિધા વ્યવસ્થિત કરે તો જનતા તેનો લાભ ઉઠાવી શકે છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎