કાળઝાળ ગરમીને લઈ સ્કૂલોનાં સમયમાં કરાયો ફેરફાર: હિટવેવની સંભવિત અસરોથી બચવા લેવાયો નિર્ણય..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan22042024_054807_images.webp)
- 22 Apr, 2024
હજુતો ઉનાળાની શરૂઆત થઈ રહી છે. એવામાં દેશમાં જળવાયુ પરિવર્તનને કારણે હાલ અનેક રાજ્યોમાં માં કાળઝાળ ગરમી પડી રહી છે. નાના -મોટા સૌ કોઇ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એમાંય ભૂલકાઓ તો સૌથી વધુ હેરાન થઈ જાય છે. એમના માંથી શાળાએ જવાનો ઉત્સાહતો માંડ કેટલાકને જ હોય છે, વળી એમાં પાછી ગરમીનો વધારો થાય તો બાળકો હેરાન-પરેશાન થઈ શાળાએ જવાનો ઇનકાર કરતો તો એમાં કઈ જ નવાઈની વાત નહીં ...!!!
ગરમીના આ પ્રકોપથી નાના ભૂલકાઓનું રક્ષણ કરવા હેતુ સરકારે રાજ્યની સ્કૂલોનાં સમયમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરી . ત્યારે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને ગુજરાત હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઈઓને આદેશ કરવામા આવ્યો છે. આ ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6 થી 11 સુધી કરવાનું રહેશે તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો યોજવા નહિ.
ખુલ્લામાં કોઈપણ જાતની શૈક્ષણિક- બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ન કરાવવી. કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમા હિટવેવની શક્યતાઓ રહેલ છે અને જેને લઈને બચાવ અને રાહતના આગોતરા પગલા લેવામાં આવે તેથી હિટવેવની સંભવિત અસરોથી બચી શકાય.વધુમાં નવસારી જીલ્લા પ્રાથમિક સંગઠન અને અન્ય જીલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાંની શાળાઓ માટે સમય સવારે 7 થી 12 વાગ્યાનો કરવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધુમાં હાલમાં હિટવેવનો ભોગ બાળકો ન બને તે માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટી દિલ્હી દ્વારા તકેદારીનાં ભાગ રૂપે શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાતમાં હિટવેવ એક્શન પ્લાન 2024 ને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો.
જે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખાસ હિટવેવવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતુ હોઈ તમામ ડીઈઓએ તેઓના તાબા હેઠળની સ્કૂલોને આ સંદર્ભે સચેત કરીને જરૂરી તકેદારીના પગલા લેવા આદેશ કરવામાં આવે.રાજ્યનાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સ્કૂલનો સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થનાર છે. તેમજ અન્ય સ્કૂલોમાં નવો અભ્યાસક્રમ ચાલુ થનાર છે. તેમજ વેકેશનનો પરિપત્ર પણ સ્થગિત કરવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ