:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

વડાલીમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઝપાઝપી : કોંગ્રેસ સામે ક્ષત્રિય સમાજના નામે હોબાળો કર્યાનો આરોપ...

top-news
  • 22 Apr, 2024

સાબરકાંઠાના વડાલીમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉગ્ર વિરોધ થતા હોબાળો મચી જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વડાલી ગામમાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન થવા જઈ રહ્યું હતું એ સમયે એક ટોળું આવીને વિરોધ કરવા લાગ્યું , આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા માઇક પર સંબોધન કરી રહ્યાં હતા. પ્રદર્શનકારીઓ તેમનું માઇક લઈ લેવાનો પ્રયાસ કર્યો  જેથી રમણલાલ રોષે ભરાયા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. 

મળતી વિગત મુજબ ક્ષત્રિય સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે વડાલી ગામે આવવાની માહિતી મળી હોવાથી પોલીસ તંત્ર દ્વારા અગાઉથીજ અગમચેતીના પગલાં રૂપે બંદોબસ્ત કર્યો હતો, જેથી ક્ષત્રિયો ત્યાં પહોંચીન શકે . એવા સમયે ત્યાં બેરીકેડ લાવવવામાં આવ્યા હોવા છત્તા પ્રદર્શનકારીઓ તે તોડી આગળ વધવાના પ્રયનત કર્યો હતો. ઉપરાંત  હાઇવે પર બેસીને નારા પણ લગાવ્યા હતા. ત્યારબાદ પોલીસના જવાનોએ તેમને રોકાવાના પ્રયાસો કર્યા પરંતુ બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. છેવટે પોલીસ દ્વારા ધરસભ્યને કોર્ડન કરીને લઈ જવામાં આવ્યા હતા. 


ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગ બાદ થયેલી ઝપાઝપી બાદ ધારાસભ્ય રમણલાલ વોરાએ આ બનાવ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ક્ષત્રિય સમાજનું બહાનું કાઢી અન્ય લોકોને સાથે રાખી ક્ષત્રિય સમાજના નામે હોબાળો કર્યો હતો અને બેઠકમાંમાં ખલેલ પહોંચાડી હતી. રમણલાલ વોરાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરવાનો અધિકારી ભોગવે પરંતુ કોંગ્રેસ અને તેના મળતિયાઓ ક્ષત્રિય સમાજના નામે જે કામ કરી રહ્યાં છે, તેના કારણે ક્ષત્રિય સમાજને આગામી દિવસોમાં નુકસાન થશે. 


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎