:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રૂપાલાને પણ આખરે બોલવું પડ્યું : ક્ષત્રિયોને રાજી કરવા લલકાર્યું - જય ભવાની....

top-news
  • 23 Apr, 2024

સમગ્ર દેશમાં ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એમાં ગુજરાતમાં ચુંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને પગલે હાલ સમગ્ર રાજ્યનું  રાજકીય વાતાવરણ પુષ્કળ ગરમ છે. રુપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે પરિણામે હવે ક્ષત્રિયોનું આદોલન ભાજપ વિરુદ્ધ શરુ થયુ હોય તેવું ચિત્ર દેખાઈ રહું છે, એવામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ વિરુદ્દ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે . ત્યારે આ બધાની વચ્ચે પરષોત્તમ રુપાલાનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રુપાલાએ ફરી એક વાર જાહેર મંચ પરથી ક્ષત્રિયોને અપીલ કરી છે કે તેઓ બધુ ભુલીને આ દેશ હિતમાં જોડાઈને જીતનો ભગવો લહેરાવવામાં જોતરાઈ જાય.

ટંકારામાં જાહેર સભાને સંબોધતા રુપાલાએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે ચિન્હ હતુ તે ચિન્હ લગાડ્યું. આ સાથે રૂપાલાએ જય ભવાની, જય શિવાજીના લગાવ્યા નારા પણ લગાવ્યા હતા. વધુમાં તેમણે કહયુ કે, આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરીમાને પ્રસ્થાપિત કરવાનું કામ વડાપ્રધાન મોદી કરી રહ્યા હોય ત્યારે અમારી રાજ્યસભાના સાસંદ અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજીએ આપણી ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી ત્યારે આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ પર બેસીને ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યુ છે ત્યારે હુ ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરુ છુ કે, દેશમાં આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્ર મોદીના રાજમાં ચાલતુ હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરજો. મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મુકેલા છે તે આપ બધા જાણો છો. ફરીથી હુ અપીલ કરુ છુ કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબુત કરવા માટે સમર્થ ભારત બનાવવા માટે આપ જોડાવ તેવી અપીલ કરુ છુ.

વધુમાં વિવાદાસ્પદ નિવેદન મામલે રુપાલાએ પહેલા પણ બે- ત્રણ વખત માફી માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરવા તૈયાર નથી. ભાજપે રુપાલાને ન હટાવતા ક્ષત્રિય સમાજમાં રહેલી રોષની જ્વાળા વધુ ઉગ્ર બની છે હવે આ વિવાદ રુપાલા સામે જ નહીં પરંતુ ભાજપ સામે પણ ઉભો થયો છે. ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે ભાજપે આ ડમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. ક્ષત્રિય સમાજને મનાવવા માટે ભાજપના દિગ્ગજ હોદ્દેદારોને જવાબદારી સોપવામા આવી છે. ત્યારે આ બધાની વચ્ચે રુપાલાએ ફરી એક વાર ક્ષત્રિય સમાજને બધુ ભુલી જાય તેવી અપીલ કરી છે. ત્યારે રુપાલાની આ અપીલની ક્ષત્રિય સમાજ પર કેટલી અસર થાય છે તે હવે જોવું રહ્યું…

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎