:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

દાંડી- એકજ પરિવારના 6 જણાં ડૂબ્યા: નવસારીના ખડસુપામાં રહેતા પરિવારના 2ને બચાવી લેવાયા જ્યારે 4 હજુ લાપત્તા...

top-news
  • 13 May, 2024

હાલમાં ગુજરાત સહિત અનેક રાજ્યોની શાળાઓમાં વેકેશન ચાલુ થઈ ગયું છે. તેની સાથે વૈશાખ મહિનાનો આકારો તાપ પણ અગનગોળા વરસાવી રહ્યો છે. એવામાં સ્વાભાવિક છે કે શનિ -રવિની રજાઓનું પ્લાનિંગ કરીને લોકો સહકુટુંબ ફરવા જાય , પરંતુ આ રજાઓ કોઈને માટે દુ:ખનું કારણ બની ને આવતી હોય છે, તેવા માઠા સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિત મુજબ  નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર રજાઓની મજા માણવા દાંડીના દરિયા કિનારે ગયો  હતો ત્યારે આ દુ;ખદ ઘટના બની હતી.

આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે, જેમને શોધવાની કવાયત શરૂકરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટે હરવા ફરવાનું સ્થળ એટલે દાંડીનો દરિયા કિનારો. નવસારી નજીક આવેલા દાંડીના દરિયા કિનારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આજે દાંડીના દરિયા કિનારે 6 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે.

ઘટનાની જાણ ફાયર વિભાગના કર્મચારીઓને કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. તો સાથે સ્થાનિક લોકો અને પોલીસ વિભાગ પણ ખડેપગે છે. ડૂબેલા 6 લોકો પૈકી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 2 મહિલા અને 2 પુરૂષોને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રજાઓનો આનંદ લેવા માટે નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર  દાંડીના દરિયા કિનારે આવ્યો હતો ત્યારે દરિયાના પાણી ૬ લોકોને ખેચીને લઈ ગયું ,આ ઘટનાની જાણ થતા તરતજ તંત્ર સતર્ક બન્યું અને ૬ માંથી બે લોકોને બચાવી લેવાયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎