દાંડી- એકજ પરિવારના 6 જણાં ડૂબ્યા: નવસારીના ખડસુપામાં રહેતા પરિવારના 2ને બચાવી લેવાયા જ્યારે 4 હજુ લાપત્તા...
- 13 May, 2024
હાલમાં ગુજરાત સહિત અનેક રાજ્યોની શાળાઓમાં વેકેશન ચાલુ થઈ ગયું છે. તેની સાથે વૈશાખ મહિનાનો આકારો તાપ પણ અગનગોળા વરસાવી રહ્યો છે. એવામાં સ્વાભાવિક છે કે શનિ -રવિની રજાઓનું પ્લાનિંગ કરીને લોકો સહકુટુંબ ફરવા જાય , પરંતુ આ રજાઓ કોઈને માટે દુ:ખનું કારણ બની ને આવતી હોય છે, તેવા માઠા સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિત મુજબ નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર રજાઓની મજા માણવા દાંડીના દરિયા કિનારે ગયો હતો ત્યારે આ દુ;ખદ ઘટના બની હતી.
આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે, જેમને શોધવાની કવાયત શરૂકરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટે હરવા ફરવાનું સ્થળ એટલે દાંડીનો દરિયા કિનારો. નવસારી નજીક આવેલા દાંડીના દરિયા કિનારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આજે દાંડીના દરિયા કિનારે 6 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે.
ઘટનાની જાણ ફાયર વિભાગના કર્મચારીઓને કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. તો સાથે સ્થાનિક લોકો અને પોલીસ વિભાગ પણ ખડેપગે છે. ડૂબેલા 6 લોકો પૈકી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 2 મહિલા અને 2 પુરૂષોને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રજાઓનો આનંદ લેવા માટે નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર દાંડીના દરિયા કિનારે આવ્યો હતો ત્યારે દરિયાના પાણી ૬ લોકોને ખેચીને લઈ ગયું ,આ ઘટનાની જાણ થતા તરતજ તંત્ર સતર્ક બન્યું અને ૬ માંથી બે લોકોને બચાવી લેવાયા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ