:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અશાંત ધારાની કડક શરતો સરકાર પાછી ખેંચશે, હાઈકોર્ટમાં અપાઈ ખાતરી

top-news
  • 27 Oct, 2023

રાજયમાં અશાંત ધારાના સુધારા અંગે સરકારના જાહેરનામા સામે 13 જુદી જુદી રીટ દાખલ થઇ છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કરી સુધારાની કડક શરતો પાછી ખેંચવાની તૈયારીમાં હોવાની કબુલાત કરી છે. અશાંત વિસ્તારનો વ્યાપ આપોઆપ વધારવાના સુધારા, 500 મીટર સુધી વધારાનો સુધારો પરત ખેંચવા પર વિચાર ચાલે છે. કલેકટરોને અગાઉ અપાયેલી સત્તા સીમીત થઇ શકે છે. તો ધર્મ કે જાતિના આધારે ધારો લાગુ કરવા પર પુન: વિચાર થઇ શકે છે. રાજયમાં અશાંત ધારાની વિવાદીત જોગવાઇઓ અને સુધારાની કાયદેસરતાને પડકારતી રીટ અરજીમાં રાજય સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરી પોતાનું વલણ સ્પષ્ટ કરાયું હતું કે,

સરકાર પિટિશનમાં પડકારવામાં આવેલી જોગવાઇઓમાં નવા સુધારા લાવવા ઇચ્છે છે. સરકારનું સોગંદનામુ રેકર્ડ પર લીધા બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી ડિસેમ્બર માસમાં મુકરર કરી હતી. રાજય સરકાર દ્વારા ઓકટોબર-2020માં અશાંત ધારામાં કેટલાક સુધારા કરી વિવાદીત જોગવાઇઓ દાખલ કરવામાં આવતા તેની કાયદેસરતાને પડકારતી હાઇકોર્ટમાં રીટ અરજી કરાઇ હતી. જેમાં અશાંત ધારાના સુધારા કાયદેસરતાને પડકારાઇ હતી અને જણાવાયું હતું કે, સરકાર દ્વારા અશાંત ધારામાં કરાયેલા સુધારાઓ ભેદભાવભર્યા અને અયોગ્ય છે ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓ માટે સરકારના આ પ્રકારના સુધારાઓના કારણે બંધારણની કલમ-14 અને 15નો ભંગ થાય છે.

એટલું જ નહી, દેશની હદમાં સ્વતંત્રતા સાથે રહેવા અંગેની કલમનો પણ ભંગ થાય છે. સરકારના સુધારામાં એક સમુદાયની વસ્તીનું ધ્રુવીકરણ થવાની અને તેમની બહુમતી વસ્તી થઇ જવાની શકયતાઓ વ્યકત કરવામાં આવી છે, જે અસ્થાને છે. વળી, જયાં ભવિષ્યમાં અશાંતિ સર્જાવાની શકયતાઓ હોય ત્યાં પણ અશાંત ધારાની પરવાનગી નહીં આપવાની જોગવાઇ સૂચવાઇ છે, જે પણ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. આ કેસમાં હાઇકોર્ટે અગાઉ અશાંત ધારાના આ સુધારા હેઠળ જાહેરનામું જારી કરવા સામે સ્ટે જારી કરી દીધો હતો અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેમાં સરકારે પોતાનું સોગંદનામુ રજુ કરી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ હતું કે, સરકાર હવે નવા સુધારા સાથે આવવા માંગે છે

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎