:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

આજે અમદાવાદમાં જોવા નહીં મળે રિક્ષાવાળો : શટલીયા કે ટેક્ષી પણ જોવા નહીં મળે, બજારમાં જવાનો પ્લાન બનાવ્યો હોય તો રાખજો મુલતવી જાણો શું છે કારણ

top-news
  • 24 Jul, 2024

શહેરમાં આજે રિક્ષા ચાલકો અને ટેક્ષી ડ્રાઇવર હડતાળ પર ઉતાર્યા છે.આ હડતાળ સવારના 6 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે. તેથી જો કોઈ શેરીંગ રિક્ષા અટલેકે શટલીયાની રાહ જોતાં હો તો હવે રોકાશો નહીં, બીજી કોઈ વ્યવસ્થા કરી લે જો. અથવા આપણી AMTSતો છે જ. ગૃહિણીઓએ જો બજારમાં જવાનો પ્લાન બનાવ્યો હોય તો તે પોસ્ટપોન્ડ કરજો,ઍટલે બીજા દિવસ પર મુલતવી રાખજો. આજે શહેરના તમામ ટેક્ષી-રીક્ષાના પૈડા થમી ગયા છે.   

અમદાવાદના શહેરના લગભગ 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો આજે હડતાળ પર ઉતરી ગયા છે. મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરતા આ રીક્ષા-ટેક્ષી ડ્રાઇવરો દ્વારા  24 જુલાઇના રોડ હડતાલ જાહેર કરવામાં આવી છે,પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સની માંગ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતાં ટુ વ્હિલર બંધ કરાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે. ઉપરોક્ત મામલે  ડ્રાઇવરોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઇન એપ્લિકેશન દ્વારા કોમર્શિયલ વાહનો બદલે ખાનગી વાહનો ચાલતા હોવાના કારણે તેમના ધંધા પર તેની અસર પડી હતી. જેના કારણે રીક્ષા-ટેક્ષી ડ્રાઇવરોને ખોટ ખાવાની વારી આવી છે. આ કારણને લઇ તમામ ચાલકો હડતાલ પર ઉતાર્યા છે. 

તેથી જો આજે રેલવે સ્ટેશન એરપોર્ટ અને બસ સ્ટેશન જવું હોય તો ગોઠવણ જાતે કરી લેજો .