:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

top-news
  • 24 Nov, 2023

અમેરિકામાં ગન કલ્ચરના વધતા જતા દુષણનો ભોગ ભારતીય મૂળના લોકો અને ભારતીય વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે તેમજ અવાર-નવાર ભારતીય વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવે છે ત્યારે વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 

અમેરિકાના ઓહાયોમા 26 વર્ષીય ભારતીય વિદ્યાર્થી કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક વિગત મુજબ વિદ્યાર્થીનુ નામ આદિત્ય અદલખા હોવાનું જાણાવા મળ્યું છે જે સિનસિનાટી યુનિવર્સિટીમાં મોલેક્યુલર અને ડેવલપમેન્ટલ બાયોલોજીમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. સ્થાનિક સુત્રોના અહેવાલ મુજબ આદિત્ય અદલખા સિનસિનાટીમાં વેસ્ટર્ન હિલ્સ વાયડક્ટ પર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. કારની બારીમાં બુલેટના છિદ્રો પણ દેખાયા છે. આ ઘટના 9મી નવેમ્બરના રોજ બની હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

હેમિલ્ટન કાઉન્ટી કોરોનર ઓફિસે જણાવ્યું હતું કે અદલખાનું ગોળીબાર બાદ UC મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યાના બે દિવસ બાદ 11 નવેમ્બરે મૃત્યું થયું હતું.  આદિત્યએ 2018માં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાંથી પ્રાણીશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી તેમજ વર્ષ ૨૦૨૦માં તેણે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી ફિઝિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. આદિત્ય 2025 પીએચડી પૂર્ણ કરવાનો હતો. સિનસિનાટી પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર  9મી નવેમ્બરના રોજ સવારે 6.20 વાગ્યે ગોળી ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી પસાર થતા અન્ય ડ્રાઈવરોએ ઘટનાની જાણ કરવા માટે 911 પર ફોન કર્યો હતો કે પાર્ક કરેલી કારની અંદર એક વ્યક્તિને ગોળી વાગી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎