:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વેલ, ભાવિ ગગનવીરને અભિનંદન : વિક્સિત ભારતનું ગગનયાન ઉડાન ભરવા તૈયાર..રેડી...સેટ... ગો....!

top-news
  • 04 Mar, 2024

ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા રાજી થશે કે તેમના પછી હવે અન્ય એક ભારતીય અંતરિક્ષમાં જવા માટે તૈયાર છે. ભારતના અંતરિક્ષયાત્રીને લઇ જવા ગગનયાન તૈયાર છે અને તેમાં બેસીને અંતરિક્ષમાં પહોંચનાર ગગનવીરો પણ તૈયાર છે.ચાર ગગનવીરોને તાલીમ લઇને તૈયાર છે અને હવે તેમાંથી કોઇ એકની પસંદગી થતાં ઇસરોના ગગનયાનમાં બેસીને ગગનવીર અંતરિક્ષમાં જઇને વડાપ્રધાન દ્વારા પૂછાનાર સવાલનો  જે જવાબ આપશે તે  ઇતિહાસમાં નોંધાઇ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનના ચાર અંતરિક્ષશયાત્રીઓને પ્રતિકરૂપે અવકાશયાત્રી પાંખો પહેરાવી હતી. આ ચાર અંતરિક્ષયાત્રીઓના નામ જાહેર થયા છે.  આ ચારે ચાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઈલટ છે. તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે.

વડાપ્રધાન દ્વારા   ઇસરોની કચેરીની મુલાકાત લઇને  આ ચારને દુનિયા સમક્ષ રજૂ કર્યા. આ ચારે યુવા પાયલોટોએ દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવ્યા છે. આ ચારેય દરેક પ્રકારના ફાઈટર જેટની ખામીઓ અને ખાસિયતો જાણે છે અને હજાર કલાક કરતાં વધુનં ઉડાન  કર્યું છે. તેથી આ ચારને ગગનયાન અવકાશયાત્રી તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમને ભારતના મિત્રરાષ્ટ્ર રશિયામાં તાલીમ આપવામાં આવી છે. અને  હાલમાં બેંગલુરુમાં અંતરિક્ષયાત્રી તાલીમ સુવિધા કેન્દ્રમાં તાલીમ ચાલી રહી છે.

3 એપ્રિલ 1984ના રોજ ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા રશિયાના સોયુઝ ચી-11 .નમાં  સવાર થઇને અંતરિક્ષમાં પહોંચતા ભારતે અંતરિક્ષક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો હતો. રાકેશ શર્માની વય હાલ 75 વર્ષના છે અને જ્યારે ગગનવીર અંતરિક્ષમાં જશે ત્યારે એ કાર્યક્રમ વખતે તેમને હાજર રખાય એવી શકયતા છે. તેમની સાથે એક પ્રસંગ પણ ઇતિહાસમાં નોંધાયેલો છે. અંતરિક્ષમાં પહોંચ્યા બાદ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે અંતરિક્ષમીંથી આપણું ભારત કેવુ લાગે છે? ત્યારે રાકેશ શર્માએ ઉચ્ચારેલા શબ્દો સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા....ઇતિહાસમાં નોંધાઇ ગયા હતા. એમ ગગનવીરને પણ ભારત સંબંધિત કોઇ પ્રશ્ન કરવામાં આવે તો નવાઇ નહીં.

સવાલ-જવાબ થાય કે ન થાય પણ  આખી દુનિયાએ નોંધ લીધી કે ભારતે ચંદ્ર પર ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ઉતાર્યા બાદ હવે અંતરિક્ષમાં પણ માનવીને મોકલવાની તૈયારીમાં છે. આયોજન તો ત્યાં સુધીનું છે કે અમેરિકા-રશિયાની જેમ ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે અને માનવજાતના કલ્યાણ માટે ભારત પણ પોતાના અલાયદા સ્પેસ સ્ટેશનમાં વિવિધ પ્રયોગો કરશે. બની શકે કે વિક્સિત ભારતના સ્પેસ  સ્ટેશનમાં અન્ય દેશના અંતરિક્ષયાત્રી પણ તાલીમ માટે પહોંચશે. અને આજે જેમ અમેરિકા-રશિયા-ચીનના અંતરિક્ષયાત્રીઓ સ્પેસ  સ્ટેશનમાં કાર્યરત છે તેમ ભારતના સ્પેસ સ્ટેશનમાં આફ્રિકાના વિકાસશીલ દેશોના અંતરિક્ષયાત્રીઓ કાર્યરત હશે.

કાંઇ પણ અશક્ય નથી અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમ ભારતે હવે નાના નાના સપનાઓ જોવાનું બંધ કરી દીધુ છે. ભારત હવે વિક્સિત દેશની જેમ મોટા સપનાઓ જોઇ રહ્યું છે અને તેને પૂરા કરવાના પ્રયાસો કરી રહ્યું છે. સમય આવશે ત્યારે 2047માં ભારતના વિઝા માટે  લાઇનો લાગશે અને ભારતનો રૂપિયો ડોલર કરતાં પણ આગળ નિકળી ગયો હશે. સપને કો હકીકત મેં બદલતે હૈ...ઇસલિયે તો હમ મોદી કો ચુનતે હૈ...!!

જરા વિચારીએ કે આપણાં ભાવિ ગગનવીરને શું પૂછવુ જોઇએ- અંતરિક્ષમાંથી ભારત કેવુ લાગે છે....પૃથ્વીના અન્ય દેશો કરતાં  ભારતની શી વિશેષતા દેખાય છે...કલાઇમેટ ચેન્જની અસર વર્તાય છે...એવા જનરલ સવાલો હોઇ શકે. પણ  ખરો સવાલ તો જ્યારે પૂછાશે ત્યારે તે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં....ની જેમ  ઇતિહાસમાં અંકિત થઇ જશે..વેલ, ભાવિ ગગનવીરને અભિનંદન...વિક્સિત ભારતનું ગગનયાન અંતરિક્ષમાં હરણફાળ ભરવા તૈયાર છે-રેડી...સેટ... ગો....ઝુઉઉઉઉઉઉઉઉઉઉઉઉ....મ...!

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎