જાણો ..!!! લીલા ધાણાના જ્યૂસ પીવાથી થતા સ્વાસ્થ્યલાભ...
- 15 Jun, 2024
કિડની સ્ટોનથી લઇ ડાયાબિટીસ જેવી અનેક બિમારીઓને રાખશે દૂર .. પીવો હેલ્થી લીલા ધાણાનો જ્યૂસ .. અને જાણો તેના બહોળા સ્વાસ્થ્ય લાભો ..
લીલા ધાણાને હર્બ કહેવામાં આવે છે, હર્બ એટલેકે આયુર્વેદિક ઔષધિ જે સ્વાદની સાથે દવાના ગુણ તત્વ પણ ધરાવે છે. એટલેકે ઘણા માત્ર ભોજનમાં સ્વાદ વધારવાનું કામ નથી કરતા પરંતુ અનેક રોગો સામે આપણા શરીરનો બચાવ પણ કરે છે. ઘણાનો ઉપયોગ વ્યંજન બન્યા બાદ માત્ર તેને શણગારવા માટે નહીં તો તેનો સ્વાસ્થય લાભ લેવા માટે થાય છે. ઉપરાંત ધાણાનો ભોજન માટે ચટણી અને જ્યૂસ તરીકે પણ કરવામાં આવે છે. લીલા ધાણા પોતાના આયુર્વેદિક ગુણોના કારણે વિભિન્ન ચિકિત્સા અને સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. જેમ કે, પાચન સંબંધિત સમસ્યા, વેઇટ લોસ અને બોડી ડિટોક્સ વગેરે માટે લાભદાયી નિવડે છે. આ સિવાય લીલા ધાણાનો જ્યૂસ પાચનમાં સુધાર લાવે છે ઉપરાંત અપચો, ગેસ અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. તેના બીજ પાચન તંત્રને મજબૂત બનાવવામાં લાભદાયી છે.
લીલા ધાણામાં વિટામિન સીની માત્રા વધારે હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ઉપરાંત સામાન્ય ઇન્ફેક્શનથી બચાવ કરી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂસ ઓફ હેલ્થ અનુસાર, લીલા ધાણામાં રહેલા આયુર્વેદિક ગુણો ખાસ કરીને એન્ટી માઇક્રોબિયલ ગુણવત્તા બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે. લીલા ધાણામાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, જેનાથી શરીરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા દૂર થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂસ ઓફ હેલ્થ અનુસાર, શુગરની સમસ્યા હોય તો પણ આ જ્યૂસનું સેવન કરવાથી ફાયદો મળે છે. લીલા ધાણાનો જ્યૂસ શુગર કંટ્રોલમાં રાખે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે, કબજિયાત અને ગેસમાં પણ રાહત આપે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂસ ઓફ હેલ્થ દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, દરરોજ સવારે ખાલી પેટે ધાણાનું પાણી પીવાથી પથરીની સમસ્યામાં રાહત મળે છે. આ માટે તાજા લીલા ધાણાને પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ગાળીને પી લો. આવું કરવાથી પથરી યુરિનના માધ્યમથી શરીરથી બહાર નિકળી જાય છે.