:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રવિન્દ્ર જાડેજાને ટક્કર મારવા આવ્યો તેના જ ગામનો ક્રિકેટર, રણજી ટ્રોફીમાં 1-2 નહિ પરંતુ 10 વિકેટ લઈને ખળભળાટ મચાવ્યો ...

top-news
  • 13 Feb, 2024

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ સૌ કોઈ જાણે છે અને તેમણે ભારતને અનેક મેચ પણ જીતાડી છે. જામનગરના આ લાલે દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. ત્યારે વધુ એક જામનગરના ક્રિકેટરે ખળભળાટ મચાવ્યો છે. આ ખેલાડીનું નામ છે પ્રિયજીત સિંહે રણજીટ્રોફીમાં ધમાલ મચાવી છે.

વાત રવિન્દ્ર જાડેજાની નહિ પરંતુ તેના જ ગામમાંથી આવેલા પ્રિયજીત સિંહ જાડેજા વિશે. પ્રિયજીત સિંહે એક ફાસ્ટ બોલર છે. બોલરે હાલમાં રમાઈ રહેલી રણજીટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે 1-2 નહિ પરંતુ 10 વિકેટ લીધી છે. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

એલીટ ગ્રુપ સીમાં ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ રમાય હતી. આ મેચમાં ગુજરાત માટે રમી રહેલા પ્રિયજીત સિંહે ધમાલ મચાવી હતી. તેમણે પહેલી અને બીજી બંન્ને ઈનિગ્સમાં તેની તાકાત દેખાડી હતી. પહેલી ઈનિગ્સમાં 15.5 ઓવરમાં જાડેજાએ 60 રન આપી 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિગ્સમાં 39 રન આપી 5 વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે જાડેજા હવે લાઈમ લાઈટમાં આવી ગયો છે.

 પ્રિયજીત સિંહ જાડેજાનું કરિયર શાનદાર રહી શકે છે જો તે આવું જ પ્રદર્શન કરતો રહ્યો. તેમણે અત્યાર સુધી માત્ર 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેના નામે 13 વિકેટ છે.મેચમાં તો પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાતે પહેલા બેટિંગ કરી 339 રન સ્કોર કર્યો. જેના જવાબમાં પંજાબે 219 રન બનાવી ઓલ આઉટ થઈ, ત્રીજી ઈનિગ્સમાં ગુજરાતે 8 વિકેટ પર 290 રન બનાવ્યા હતા. પંજાબ સામે 411 રનનો ટાર્ગેટ હતો. પરંતુ પંજાબની બેટિંગ ફ્લોપ રહી અને તે 111 રન પર ઓલઆઉટ થઈ હતી. ગુજરાતે 299 રનથી મેચ જીતી લીધી હતી. અને આ મેચનો હિરો જામનગરનો પ્રિયજીત સિંહ જાડેજા રહ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎