ભારતીય ઑલરાઉન્ડરે કરાવી સર્જરી : શાર્દૂલ ઠાકુરે લંડનમાં પગની સફળ સર્જરી કરાવી , ત્રણ મહિના મેચ નહીં રમે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_110256_Shardul-surgery_d.webp)
- 13 Jun, 2024
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આઇપીએલમાં રમ્યા પછી આઠ-દસ દિવસમાં જ ટી-20 વર્લ્ડ કપ રમવા માટે અમેરિકા પહોંચી ગયા, પરંતુ જમણા હાથના પેસરે તેમજ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની યોજના કંઈક જુદી જ હતી. તેણે તેના પગમાં સર્જરી કરાવવાની હતી તેથી તે લંડન માટે રવાના થયો અને ત્યાં જઈને સર્જરી કરાવી હતી .
શાર્દુલ ઠાકુરના પગની બુધવારે સફળ સર્જરી કરવામાં આવી હતી . તે હવે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર રહેશે તેવી અપેક્ષા છે. શાર્દુલે ઑપરેશન પછી ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શૅર કર્યો હતો અને કૅપ્શનમાં લખ્યું, 32 વર્ષના શાર્દૂલ નું ઑપરેશન સફળ રહ્યું.’.તેણે પાંચ વર્ષ પહેલાં (2019માં) પણ પગમાં સર્જરી કરાવી હતી. આ તેની બીજી પગની સર્જરી છે.
તેને આ વખતે પગમાં સૌથી પહેલાં દુખાવો આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા ખાતેના પ્રવાસમાં થયો હતો. જોકે તેણે રણજી ટ્રોફીમાં કમબૅક કર્યું હતું અને મુંબઈને 42મું ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.આ વખતની આઇપીએલની સીઝનમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો, પરંતુ તે નવ મૅચમાં ફક્ત પાંચ વિકેટ લઈ શક્યો હતો.
શાર્દુલનો બીસીસીઆઇ સાથે ગ્રેડ ‘સી’ વાર્ષિક કૉન્ટ્રૅક્ટ છે , જે અનુસાર તેની સારવારનો ખર્ચ ક્રિકેટ બોર્ડે ઉપાડી લીધો છે. તે આગામી ડોમેસ્ટિક સીઝનની શરૂઆત પહેલાં પૂર્ણપણે ફિટ થઈ જશે એવી ધારણા છે.પરંતુ મુંબઈકરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મેચો વચ્ચે લાંબા સમય સુધી વિરામ માટે વિનંતી કરી હતી.