:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

IND vs AUS મેચ આજે જનરેટરના સહારે રમાશે! સ્ટેડિયમમાં લાઈટ ગુલ, 3.16 કરોડનું લાઈટબિલ બાકી

top-news
  • 01 Dec, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20I રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાવાની હતી. જોકે આ મેચ શરૂ થવાના અમુક જ કલાકો પહેલા સ્ટેડિયમના અમુક ભાગમાં વીજ ગુલ થઈ ગયાના અહેવાલ આવ્યા છે. જોકે આ વીજળી ગુલ થવાનું કારણ પણ ચોંકાવનારું છે.

માહિતી અનુસાર અત્યાર સુધી વીજળીના બિલની ચૂકવણી ન કરવામાં આવતા વીજ સપ્લાયર્સ દ્વારા 5 વર્ષ પહેલાં જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે અને આજની મેચ જો તે જીતી જશે તો તે શ્રેણી પોતાના નામે કરી લેશે. 

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ પર 3.16 કરોડ રૂપિયાના બિલની ચૂકવણી કરવાની બાકી છે જેના કારણે 5 વર્ષ પહેલાં સ્ટેડિયમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. વીજ બિલની આ ચૂકવણી 2009થી કરાઈ નથી. છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ બોર્ડના આગ્રહ પર એક અસ્થાયી કનેક્શન સ્થાપિત કરાયું હતું પણ તે ફક્ત ઓડિયન્સ ગેલેરી અને બોક્સને કવર કરે છે. આજે મેચ દરમિયાન ફ્લડલાઈટ ચાલુ કરવા માટે જનરેટરનો ઉપયોગ કરવાની ફરજ પડશે. 


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎