:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

IND vs AUS મેચ આજે જનરેટરના સહારે રમાશે! સ્ટેડિયમમાં લાઈટ ગુલ, 3.16 કરોડનું લાઈટબિલ બાકી

top-news
  • 01 Dec, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20I રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાવાની હતી. જોકે આ મેચ શરૂ થવાના અમુક જ કલાકો પહેલા સ્ટેડિયમના અમુક ભાગમાં વીજ ગુલ થઈ ગયાના અહેવાલ આવ્યા છે. જોકે આ વીજળી ગુલ થવાનું કારણ પણ ચોંકાવનારું છે.

માહિતી અનુસાર અત્યાર સુધી વીજળીના બિલની ચૂકવણી ન કરવામાં આવતા વીજ સપ્લાયર્સ દ્વારા 5 વર્ષ પહેલાં જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે અને આજની મેચ જો તે જીતી જશે તો તે શ્રેણી પોતાના નામે કરી લેશે. 

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ પર 3.16 કરોડ રૂપિયાના બિલની ચૂકવણી કરવાની બાકી છે જેના કારણે 5 વર્ષ પહેલાં સ્ટેડિયમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. વીજ બિલની આ ચૂકવણી 2009થી કરાઈ નથી. છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ બોર્ડના આગ્રહ પર એક અસ્થાયી કનેક્શન સ્થાપિત કરાયું હતું પણ તે ફક્ત ઓડિયન્સ ગેલેરી અને બોક્સને કવર કરે છે. આજે મેચ દરમિયાન ફ્લડલાઈટ ચાલુ કરવા માટે જનરેટરનો ઉપયોગ કરવાની ફરજ પડશે. 


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎