:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બિહારમાં આજે નીતિશની કસોટી : સીએમ નીતિશ : ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે બહુમતી છે...

top-news
  • 12 Feb, 2024

બિહારમાં 12 ફેબ્રુઆરી યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા જનતા દળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળ બંને તેમના ધારાસભ્યોને એક કરવાનો દાવો કરી રહ્યા છે. ફ્લોર ટેસ્ટ પહેલા JDUએ 11 ફેબ્રુઆરી ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. તેમના માટે ચિંતાનો વિષય છે કે પાર્ટીના ત્રણ ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાન હતા.

બેઠકમાં હાજરન રહેનારા જેડીયુના ધારાસભ્યોમાં રૂપૌલીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બીમા ભારતી, સુરસંડના ધારાસભ્ય દિલીપ રે અને બરબીઘાના ધારાસભ્ય સુદર્શન કુમારનો સમાવેશ થાય છે. આ પહેલા 10 ફેબ્રુઆરી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના છ ધારાસભ્યો મંત્રી શ્રવણ કુમારના ઘરે આયોજિત બેઠકમાં હાજર રહ્યાન હતા.

જો કે, જેડીયુના મંત્રી વિજય કુમાર ચૌધરીએ ત્રણેય ધારાસભ્યોની ગેરહાજરીને બહુ મહત્વ આપ્યુંન હતું અને કહ્યું હતું કે આ બેઠકમાં તેમની ગેરહાજરી અંગે તેમણે પાર્ટીને જાણ કરી હતી. તેમણે કહ્યું, “બે-ત્રણ ધારાસભ્યો બેઠકમાં આવ્યાન હતા, પરંતુ તેઓએ પાર્ટીને જાણ કરી હતી. તે બધા સવાર સુધીમાં અહીં આવી જશે. અમારી (NDA)ની સંખ્યા 128 છે અને અમે તેને સાબિત કરીશું.

બેઠક બાદ સીએમ નીતિશ કુમારે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અમારી પાસે બહુમતીના આંકડા છે. જેડીયુના ધારાસભ્યોએ આવતીકાલે ગૃહમાં નમ્ર રહેવું જોઈએ. બીજી તરફ આરજેડીના તમામ 79 ધારાસભ્યો તેજસ્વી યાદવના સત્તાવાર નિવાસસ્થાને રોકાયા છે. કોંગ્રેસના ધારાસભ્યોને પણ સીધા હૈદરાબાદથી તેજસ્વી યાદવના ઘરે પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જેડીયુએ શનિવારે નવી રચાયેલી સરકારના વિશ્વાસ મત દરમિયાન પક્ષના તમામ ધારાસભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા માટે વ્હીપ જાહેર કર્યો હતો. જેડીયુના ચીફ વ્હીપ શ્રવણ કુમારે કહ્યું કે વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ તેમનું સભ્યપદ ગુમાવશે.

અંગત કામ માટે દિલ્હી આવેલા JDU ધારાસભ્ય શાલિની મિશ્રાએ કહ્યું કે તેમણે પાર્ટી નેતૃત્વને જાણ કરી હતી કે તેઓ દિલ્હીમાં રહેશે અને હવે તે બિહાર પરત આવી ગયા છે. તેમણે કહ્યું કે જેડીયુનો કોઈ ધારાસભ્ય નજરકેદ નથી અને તે પાર્ટી સાથે છે. 

નિતિશ કુમાર રવિવારે પાર્ટી ધારાસભ્યોની બેઠક માટે રાજ્ય મંત્રી વિજય કુમાર ચૌધરીના ઘરે પહોંચ્યા હતા. ફ્લોર ટેસ્ટ પહેલા બે દિવસ માટે બોધગયાના એક રિસોર્ટમાં શિફ્ટ કરાયેલા ભાજપના ધારાસભ્યો પણ રવિવારે સાંજે પટના પહોંચ્યા હતા.

પટના એસપી ચંદ્ર પ્રકાશ એસડીએમ સાથે રવિવારે મોડી રાત્રે તેજસ્વી યાદવના ઘરે પહોંચ્યા હતા. ત્યાં એટલે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવાસ સ્થાને આરજેડી અને I.N.D.I.A ગઠબંધનના સાથીઓ ક્રિકેટ રમતાં નજરે પડ્યા દ્રશ્ય જૉઇને એવું લાગ્યું કે નીતીશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં આરજેડી, કોંગ્રેસના નેતાઓ હળવા મૂડમાં છે. 

એવામાં આરજેડી ધારાસભ્ય ચેતન આનંદના ભાઈએ ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈનું આરજેડી નેતાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જો કે, ચેતન આનંદે પોલીસને કહ્યું કે તે પોતાની મરજીથી ત્યાં ગયા  હતા. જેના પછી પોલીસ પરત આવી પરંતુ તેના કારણે મોડી રાત સુધી તેજસ્વીના ઘરની સામે ડ્રામા ચાલ્યો હતો.   

બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. અહીં બહુમતીનો આંકડો 122 છે. હાલમાં NDA પાસે 128 ધારાસભ્યો છે. તેમાંથી ભાજપ પાસે 78 બેઠકો છે, જેડીયુ પાસે 45 બેઠકો છે, હિન્દુસ્તાની અવામ મોરચા (એચએએમ) પાસે 4 બેઠકો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષની વાત કરીએ તો આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે. આ રીતે વિપક્ષ પાસે કુલ 114 ધારાસભ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎