:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

રાજ્યસભાની ચૂંટણી માટે 14 ઉમેદવારોના નામ જાહેર : ભાજપમાં 13 નવા ચહેરા , માત્ર સુધાંશુ ત્રિવેદીજ રિપીટ કરાયા...

top-news
  • 12 Feb, 2024

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા અને રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી. ધર્મશીલા ગુપ્તા (બિહાર), ડૉ.ભીમ સિંહ (બિહાર), રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ (છત્તીસગઢ), સુભાષ બરાલા (હરિયાણા), નારાયણ ક્રિષ્નાસા ભાંડગે (કર્ણાટક), આરપીએન સિંહ (યુપી), ડૉ. સુધાંશુ ત્રિવેદી (યુપી), ચૌધરી. તેજવીર સિંહ (યુપી), સાધના સિંહ (યુપી), અમરપાલ મૌર્ય (યુપી), સંગીતા બળવંત (યુપી), નવીન જૈન (યુપી), મહેન્દ્ર ભટ્ટ (ઉત્તરાખંડ) અને સમિક ભટ્ટાચાર્ય (પશ્ચિમ બંગાળ)ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બિહાર સુશીલ મોદીને ટિકિટ મળી નથી. ભાજપની 14ની યાદીમાં 13 નવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. માત્ર સુધાંશુ ત્રિવેદીને જ રીપીટ કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ટિકિટ નકાર્યા બાદ સુશીલ મોદીએ ટ્વિટર પર લખ્યું, “દેશમાં બહુ ઓછા કાર્યકરો હશે જેમને પાર્ટીએ 33 વર્ષથી સતત દેશના ચારેય ગૃહોમાં મોકલ્યા હશે. હું હંમેશા પાર્ટીનો આભારી રહીશ અને પહેલાની જેમ કામ કરતો રહીશ.”

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎