1 વર્ષથી જેલમાં બંધ મનીષ સિસોદિયાને મળી રાહત : 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ભત્રીજીના લગ્ન સમારોહ માટે મળ્યા જામીન ..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12022024_124647_manish-sisodia-2.jpg)
- 12 Feb, 2024
રોઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે . કોર્ટે સિસોદિયાને 3 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા છે. 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન લખનૌમાં તેમની ભત્રીજીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે તેમને આ જામીન મળ્યા છે.
સિસોદિયાની ભત્રીજીના લગ્ન 14 ફેબ્રુઆરીએ છે, જેના માટે સિસોદિયાએ જામીન માંગ્યા હતા. જો કે, કોર્ટે તેમને રાહત આપી છે અને તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવાની મંજૂરી આપી છે.
મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ પહેલા તે 11 નવેમ્બરે તેની પત્ની સીમાને મળવા ગયો હતો. તે દરમિયાન સીમાની તબિયત ખરાબ હતી. દિલ્હી કોર્ટે તેમને 11 નવેમ્બરે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી તેમની પત્નીને મળવાની મંજૂરી આપી હતી.
કથિત લીકર કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ઈડીએ પણ તેમને કસ્ટડીમાં લીધાં હતા ત્યારથી તેઓ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ