:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

STFએ મુઝફ્ફરનગર માંથી ચાર ટાઈમ બોમ્બ સાથે યુવકની કરી ધરપકડ જાવેદ શેખની ધરપકડ બાદ એસટીએફ, એટીએસ ઈમરાનાની શોધમાં

top-news
  • 16 Feb, 2024

STF દ્વારા ઝડપાયેલો આરોપીનું નામ જાવેદ શેખ છે. તેની પાસેથી ચાર બોટલ ટાઈમ બોમ્બ મળી આવ્યા છે. હાલ એટીએસ અને એસટીએફની ટીમ આરોપીઓની પૂછપરછ કરી રહી છે, આરોપી જાવેદે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આ બોમ્બ બનાવવાનો ઓર્ડર તેને ઈમરાના નામની મહિલાએ આપ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જાવેદ નેપાળ પણ જાય છે અને ત્યાં તેના ઊંડા સંબંધો છે.

જાવેદ શેખ આ બોમ્બ સપ્લાય કરવા માટે ઈમરાના નામની મહિલાના સંપર્કમાં હતો. ઈમરાના મૂળ શામલીની છે અને હાલ મુઝફ્ફરનગરના ખાલાપરમાં રહે છે. ઈમરાનાની ગતિવિધિઓને પણ ખૂબ જ શંકાસ્પદ ગણાવવામાં આવી છે. માહિતી બાદ આરોપી જાવેદની એસટીએફએ ધરપકડ કરી હતી. 

આરોપીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, ખાલાપરની રહેવાસી મહિલા ઈમરાનાના કહેવાથી બોમ્બ બનાવ્યા હતા. હાલ તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને એટીએસ આ બોમ્બ શેના માટે ઉપયોગમાં લેવાના હતા તે અંગે પૂછપરછ કરી રહી છે. આરોપીના કેટલાક સંબંધીઓ નેપાળમાં પણ રહેતા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીને બોમ્બ બનાવવાની સારી જાણકારી છે.

જાવેદ શેખની ધરપકડ બાદ ઈમરાના ફરાર થઈ ગઈ છે. હાલ એસટીએફ, એટીએસ અને અન્ય એજન્સીઓ ઈમરાનની શોધમાં લાગેલી છે. ઈમરાનની ધરપકડ બાદ જ સામે આવશે કે આ ટાઈમ બોમ્બનું શું થવાનું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎