:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશને એક સાથે 15 નવા-અપગ્રેડેડ એરપોર્ટની ભેટ લોકસભા ચૂંટણી પહેલા તમામ એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત ...

top-news
  • 08 Mar, 2024

દેશને એક સાથે 15 નવા અથવા અપગ્રેડેડ એરપોર્ટ મળવા જઈ રહ્યા છે. તેમાં દિલ્હી, લખનૌ અને પૂણે જેવા દેશના મોટા એરપોર્ટના નવા ટર્મિનલનો પણ સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તરફથી દેશને આ સૌથી મોટી ભેટ મળશે. 

પીએમ નરેન્દ્ર મોદી  15 એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તેમાં ઘણા એરપોર્ટ ધાર્મિક પર્યટનના મુખ્ય સ્થળોની નજીક છે. આ તમામ દેશમાં ધાર્મિક પ્રવાસનને નવી દિશા આપવામાં મદદ કરશે. જેમાં ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ, શ્રાવસ્તી અને આઝમગઢ જેવા વિસ્તારોમાં બનેલા નવા એરપોર્ટનો સમાવેશ થાય છે. તો બેલગામ, કર્ણાટકના હુબલી અને મધ્યપ્રદેશના જબલપુર અને ગ્વાલિયરમાં પણ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી રવિવારે આ તમામ એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કરી શકે છે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. જો તે આગળ વધવા માંગે છે તો તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની સાથે તેની કનેક્ટિવિટી પણ મજબૂત કરવી પડશે. મોદી સરકારે આ બંને સેગમેન્ટ પર સખત મહેનત કરી છે, જે લાંબા ગાળે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. આવી સ્થિતિમાં, એરપોર્ટનો વિકાસ દેશની અંદર કનેક્ટિવિટી અને ઇન્ફ્રા બંનેમાં સુધારો કરે છે.

આ સિવાય મોદી સરકારનું બીજું મોટું ફોકસ દેશમાં પ્રવાસન વધારવા પર છે. સ્થાનિક સ્તરે, દેશમાં ધાર્મિક પ્રવાસન માટે ઘણી સંભાવનાઓ છે. ત્યારે આપણી પાસે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આમંત્રિત કરવા માટે રામાયણ સર્કિટ, હોળી સર્કિટ, બુદ્ધ સર્કિટ જેવી ઘણી તકો છે. આવી સ્થિતિમાં આ એરપોર્ટના વિકાસથી અહીંની અર્થવ્યવસ્થા અને કનેક્ટિવિટી પણ મજબૂત થશે. આ દરમિયાન દેશની એરલાઈન્સે પણ એવિએશન સેક્ટરમાં મોટા પાયે ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. એર ઈન્ડિયા, ઈન્ડિગો અને અકાસા એરએ છેલ્લા 12 મહિનામાં 1,120 નવા પ્લેન ખરીદવાના ઓર્ડર આપ્યા છે.

ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં કહ્યું હતું કે સરકારે આગામી 4 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા 148 થી વધારીને 200 કરવાનો અને તેમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આટલા મોટા રોકાણથી દેશમાં રોજગારીની તકો વધશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎