:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સીબીઆઇ દ્વારા માનવ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ : 35 ભારતીય યુવાનોને સંમતિ વિના રશિયા-યુક્રેન યુદ્ધમાં મોકલાયા ...

top-news
  • 08 Mar, 2024

સીબીઆઇ એ માનવ તસ્કરી સાથે જોડાયેલા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં નોકરીના નામે લોકોને લડવા મોકલનારા લોકો સામે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. અગાઉ ટીમે દિલ્હી, ત્રિવેદપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ, ચેન્નાઈ સહિત 7 રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

જેમાંથી 50 લાખ રૂપિયા રોકડા, શંકાસ્પદ દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ, લેપટોપ, મોબાઈલ ફોન અને ડેસ્કટોપ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ પણ કરી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે લગભગ 35 ભારતીય યુવાનોને રશિયા-યુક્રેન યુદ્ધમાં લડવા મોકલવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રેકેટ દ્વારા યુવાનોને વિદેશમાં નોકરી આપવાનું સપનું બતાવામાં આવતું હતું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ અને અન્ય માધ્યમો દ્વારા ભારતીય યુવાનોને આવી જાહેરાતો મોકલવામાં આવતી હતી, જેથી યુવાનો તેમની જાળમાં ફસાઈ જાય. આ પછી આ યુવાનોને રશિયામાં પહેલાથી જ સ્થિત સ્થાનિક લોકોના સંપર્કમાં મૂકવામાં આવ્યા હતા.

જે યુવાનોને રશિયા અને યુક્રેનમાં લડવા માટે મોકલવામાં આવતા હતા યુવાનો જાણતા ન હતા કે તેમને ત્યાં યુદ્ધ લડવા જઈ રહ્યા છે. આ યુવાનોમાં ઘણા એવા હતા જેમને ખબર ન હતી કે તેઓ યુદ્ધમાં જઈ રહ્યા છે. તેમને બોલાવવામાં આવ્યા અને પછી તેમની સંમતિ વિના, તેમને યુક્રેન અને રશિયામાં યુદ્ધની આગળની હરોળમાં લડવા માટે મોકલવામાં આવ્યા.

કેટલાક પીડિતોએ સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કર્યો છે કે તેમની સંમતિ વિના તેમને રશિયા તરફ લલચાવવામાં આવ્યા હતા અને તેમને યુદ્ધમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સીબીઆઈની ટીમે 7 રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડીને કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે લગભગ 35 લોકોને નોકરીની લાલચ પર રશિયા અને યુક્રેન મોકલવામાં આવ્યા છે, આ લોકો કોણ છે તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎