:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચૂંટણી પર્વ શાંતિથી મનાવીએ આવો, મતદાન અવશ્ય કરીએ..!

top-news
  • 11 Mar, 2024

ભારતમાં ચૂંટણીઓને એક પર્વ તરીકે માનીને વાર-તહેવારની જેમ તેને ઉજવવામાં આવે છે,.મતદારો હોંશે હોંશે મતાધિકારનો ઉપોયગ કરવા  સવારથી મતદાન મથકની બહાર લાઇન લગાવી દે છે અને પોતાના મનગમતા ઉમેદવારે કે મનગમતી પાર્ટીને વોટ આપીને મતદાન મથકની બહાર નિકળી આંગળીએ, અવિલોપ્ય શાહીથી કરેલી નિશાનીનો ફોટો પાડીને સોશ્યલ મિડિયા પર મૂકવાની એક નવી પરંપરા પણ હવે તો જોવા મળે છે અને હવે એ દિવસો દૂર નથી કે જ્યારે સોશ્યલ મિડિયામાં આવી લાખો સેલ્ફીઓ જોવા મળશે. કેમ કે લોકસભાની ચૂંટણીઓ હવે ઢુકડી છે...

ચાલુ માસના બીજા સપ્તાહમાં લોકસભાની 543 બેઠકોની ચૂંટણીઓનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર થાય તેમ છે. અને  ચૂંટણીઓ જાહેર થતાં જ  પરિણામ  ન આવે ત્યાં સુધી  ભારતની અવિનાશી લોકશાહીમાં ચૂંટણી પર્વ ઉજવાશે. અંદાજે 97 કરોડ મતદારો આ ચૂંટણી માટે નોંધાયેલા છે. અને પાંચ લાખ મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.

ચૂંટણીઓને સંબંધ છે ત્યાં સુધી  ભારતનું ભાવિ નક્કી કરનાર આ ચૂંટણીઓ વિના અવરોધે ખાસ કરીને ચૂંટણીલક્ષી હિંસાને બદલે મુકત અને ન્યાયી રીતે પાર પડે તે જોવાની જવાબદારી દેશના ચૂંટણી પંચની તો છે જ પણ તેની સાથે સાથે ઉમેદવારો, રાજકીય પક્ષો, ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ સહિત મતદારોની પણ છે.

જ્યારે બેલેટ પેપર-મતપત્રક-થી ચૂંટણીઓ યોજાતી હતી ત્યારે બેલેટબોક્સની ઉંઠાંતરીના કિસ્સા બનતા હતા. બેલેટબોક્સમાંથી મતદારો દ્વારા મતપત્રકની સાથે  લખાયેલી રસપ્રદ ચિઠ્ઠી-ચબરખીઓ નિકળતી હતી. પણ હવે બેલેટ પેપરને બદલે ઇવીએમથી મતદાન થાય છે અને ઇવીએમની સામે પણ છેલ્લાં ઘણાં સમયથી  ગરબડીના આક્ષેપો થયા છે.

આ વખતે પણ કેટલાક વકીલો દ્વારા દિલ્હીમાં ઇવીએમને બદલે બેલેટપેપરથી મતદાનની માંગણી માટે આંદોલન થયું છે. જો કે એ બધુ ભારત સરકાર અને ચૂંટણી પંચ પર આધારિત છે. હજુ સુધી આ અંગે કોઇ ફેરફાર નથી એટલે એમ માની લઇને ચાલીએ કે 18મી લોકસભાની ચૂંટણીઓ પણ ગઇ વખતની જેમ ઇવીએમથી જ યોજાશે.

મતદાનની પ્રક્રિયા બેલેટથી થાય કે ઇવીએમથી પણ ચૂંટણીઓ  શાંતિથી પૂર્ણ થઇને પરિણામના દિવસે પણ સૌ કોઇ  દેશની જનતાનો જનાદેશ માથે ચડાવીને  જનાદેશને માન આપશે અને આપવુ જોઇએ એવી આશા અસ્થાને નહીં ગણાય.

ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજવા ચૂંટણી પંચ દ્વારા ભરસક પ્રયાસો થશે જ. તેમ છતાં કેટલાક કાબુ બહારના પરિબળોને કારણે ઇવીએમમાં ગરબડો થતી હોવાની ફરિયાદો થતી આવી છે. આ વખતે પણ એવુ ન થાય તે માટે  મતદારોની જાગરૂકતા જરૂરી છે. ખાસ કરીને કોઇ બાહુબલિ ઉમેદવાર અને તેમના ટેકેદારો દ્વારા બોગસ વોટિંગને રોકવા માટે મતદારોએ એકજૂટતા દર્શાવવી પડશે. ચૂંટણી પંચ પણ તેમાં મતદારોની સાથે જ છે અને રહેશે.

ભારતમાં માર્ચથી એપ્રિલ-મે સુધીમાં  યોજાનાર ચૂંટણૂીઓ એવી પારદર્શી અને વિના અવરોધે યોજાવી જોઇએ કે બીજા દેશોનો લોકો અને બીજા દેશોના ચૂંટણી પંચો તેના વખાણ કરે. કેમ કે ભારતની ચૂંટણી પ્રથાને જોઇે એ જ ઢબે ઘણાં દેશોમાં ઇવીએમથી મતદાન હાથ ધરવામાં આવે છે. તેથી ભારતની ગરિમા અને ગૌરવને કાળો દાગ ન લાગે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જેમ કે ચૂંટણીનું જોહેરનામુ બહાર પડે ત્યાંથી લઇને પરિણામ અને નવી સરકારની રચના સુધી દેશમાં શાંતિ જળવાય તે જોવાની ભારતના એક એક નાગરિકની નૈતિક જવાબદારી છે. આવો, ચૂંટણી પર્વ શાંતિથી મનાવીએ અને મતદાન અવશ્ય કરીએ..!

એક મતની શું કિંમત છે અને મારો એક વોટ નહીં પડે તો  શું ખાટુમોળુ થઇ જવાનું છે, કોણ વોટ આપવા જાય...એમ જો વિચાર આવે તો તેને ખંખેરીને  મતદાનના દિવસે સૌ કોઇ મતદારો મતદાન અવશ્ય કરે. ટીપે ટીપે સરોવર ભરાય એમ એક એક મત મળીને  હજારો-લાખો મત બને છે અને તેના આધારે ઉમેદવારનું ભાવિ ઘડાય છે. એક વોટથી હારી જવાય અને એક વોટથી જીતી જવાય એવી આપણી ચૂંટણી પ્રણાલિમાં પહેલા મતદાન પછી બીજા કામ...એવુ એક સૂત્ર અપનાવીને  મતદાન અવશ્ય કરવા ગુજરાત વંદન અખબારની સૌ મતદારોને ફરીથી ખાસ વિનંતી અને અપીલ છે.

નિકુંજ પટેલ
સંપાદક
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎