:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

આવતીકાલે મોદી સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત : 5 એકરમાં ફેલાયેલું આશ્રમ 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે

top-news
  • 11 Mar, 2024

સાબરમતી આશ્રમ દેશના આઝાદીના ઈતિહાસના પાયામાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ માત્ર આશ્રમ નથી પરંતુ ભારતના ઈતિહાસનો એ પુરાવો છે કે જ્યાંથી અંગ્રેજોને પાછા ધકેલવા માટેની અનેક યોજનાઓનું આયોજન કરાયું હતું. અહીં સંપૂર્ણ વર્ષ દરમિયાન દેશ અને વિદેશના અનેક ટૂરિસ્ટ આવે છે અને દેશ તેમજ ગાંધીજીની જાણકારી મેળવવાનો પ્રયાસ કરે છે. તેમજ આ આશ્રમ ભારતના ઈતિહાસની જાણકારી આપતી સ્થળ પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે હવે 5 એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.

સાબરમતી આશ્રમ આઝાદીના ઈતિહાસના પાયામાં ખાસ સ્થાન ધરાવે છે. આ માત્ર આશ્રમ નથી પરંતુ ભારતના ઈતિહાસનો એ પુરાવો છે કે જ્યાંથી અંગ્રેજોને પાછા ધકેલવા માટેની અનેક યોજનાઓનું આયોજન કરાયું હતું. અહીં વર્ષ દરમિયાન દેશ અને વિદેશના અનેક ટૂરિસ્ટ આવે છે અને ઈતિહાસને જાણે છે. હવે આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટનું 12 માર્ચે ખાતમુર્હૂત કરવાના છે અને તેને લઈને તૈયારીઓ થઈ રહી છે.

રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે હવે 5 એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. અંદાજે 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરવામા આવશે, જેમાં હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે અદ્યતન બાબતોનું ધ્યાન રખાયું છે.

જૂની બિલ્ડિંગોને સાચવી રાખવાથી લઈ નવા બિલ્ડિંગનું બાંધકામ અને અહીં આવતા મુલાકાતઓની સુવિધામાં વધારો કરવો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, દેશ વિદેશમાં વસતા એવા લાખો લોકો છે જે ગાંધીજીના જીવન મૂલ્યોથી પ્રેરાયા છે એક તરફ અહિંસક રીતે દેશને આઝાદી અપાવવાની વાત હોય કે પછી ભૂખ્યા રહીને અયોગ્ય કર દૂર કરવાની વાત હોય આ તમામ બાબતોનું મહત્વ સમજાવતું ગાંધીજીનું આશ્રમ નવીન સ્વરૂપમાં આકાર પામશે, ત્યારે 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ નવીનીકરણનો પાયો મુકશે જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સાબરમતી આશ્રમમાં ભાષાનુવાદ કેન્દ્ર, કેફેટેરિયા, કાગળ-ચર્મપેદાશો બનાવવાની કળા માટે વર્કશોપ,ગાંધી ઇતિહાસ, લેક્ચર, સેમિનાર માટે વ્યવસ્થા,અનુભવ કેન્દ્ર , સોવેનિયર શોપ્સ બનાવવામાં આવશે. નવા બિલ્ડિંગનો ઉપયોગ વહીવટી સુવિધા, ઓફિસો, મીટિંગ રુમ, મહેમાનો માટે વ્યવસ્થા, તાલીમ કેન્દ્ર માટે કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જય જગત માસ્ટર પ્લાન, જૂનુ રસોડુ, સરદાર કુટિર, રંગ શાળા અને દસ ઓરડી, બાળ મંદિર, દેહલુ પૂની કેન્દ્ર, કુટુંબ નિવાસ અને 1થી 4, ઉદ્યોગ મંદિર, હૃદયકુંજ, ગાંધી સ્મારક સંગ્રહાલય, ઓરિએન્ટેશન સેન્ટર, વોટર હવેર્સ્ટિંગ તળાવ, વર્કશોપ એરિયા, એક્ઝિબિશન એરિયા, સોવેનિયર શોપ્સ, મેઇન એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ એરિયા, એક્ઝિબીશન એરિયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, સ્કોલર્સ રેસિડેન્સી બનાવવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎