:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દર વર્ષે માર્ચ મહિનાનો બીજા બુધવાર ‘નો સ્મોકિંગ ડે' તરીકે ઉજવાય છે : ગુજરાતમાં સરેરાશ 10માંથી 3 વ્યક્તિને દરરોજ ધૂમ્રપાનની ટેવ...

top-news
  • 13 Mar, 2024

દેશમાં રોજ ધૂમ્રપાનથી થતાં નુકસાન અંગે જાગૃતિ લાવવા માટે સમાચાર પત્રો ,સિનેમા ઘર તેમજ ટેલિવિઝનના માધ્યમ થી પ્રચાર કરવામાં આવે છે, તે છતાં પણ લોકોમાં જાગૃતિ આવી નથી ,તેથી રાજ્ય સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેના માટે દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારની ઉજવણી ‘નો સ્મોકિંગ ડે' તરીકે કરવામાં આવે છે. ગુજરાતમાંથી 10માંથી સરેરાશ 3 વ્યક્તિ દરરોજ સ્મોકિંગ કરવાની કુટેવ ધરાવે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સરવે અનુસાર ગુજરાતમાંથી શહેરી વિસ્તારમાં 25.8 ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી 39.3 ટકા દરરોજ ધૂમ્રપાન કરવાની ટેવ ધરાવે છે. આમ, રાજ્યમાં દરરોજ સ્મોકિંગ કરનારાનું પ્રમાણ 33.5 ટકા છે. આ સરવે અનુસાર શહેરી વિસ્તારમાંથી 2.9 ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી 3.9 ટકા અને સરેરાશ 3.5 ટકા સપ્તાહમાં એકાદ વાર ધૂમ્રપાન કરી લે છે. આ સિવાય શહેરી વિસ્તારમાંથી 1.1 ટકા, ગ્રામ્યમાંથી 1.2 ટકા અને સરેરાશ 1.2 ટકા મહિનામાં એકાદ વખત ધૂમ્રપાન કરી લેતા હોવાનું સામે આવ્યું છે. જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું ના હોય તેનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ 61 ટકા છે. જેમાં શહેરી વિસ્તારમાંથી 69.5 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી 54.70 ટકા દ્વારા ક્યારેય ધૂમ્રપાન કરવામાં આવ્યું નથી.

આ હેલ્થ સરવેમાં એવી પણ વિગત સામે આવી છે કે તમાકુનું સેવન કરનારા 38 ટકા પુરુષ, 9 ટકા મહિલા 15થી વધુ વયના છે. ડોક્ટરોના મતે ગુજરાતમાં નોંધાતાં કેન્સરના કેસમાંથી 43 ટકામાં તમાકુનું સેવન જવાબદાર હોય છે. વર્ષ 2022માં ગુજરાત કેન્સર રીસર્સ ઈન્સ્ટિટ્યુટ ખાતે નોંધાયેલા કેન્સરના કુલ 16239 કેસમાંથી 7105માં તમાકુનું સેવન જવાબદાર હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎