:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર કરાશે : ચુંટણી પંચ મતદાન તારીખ,મતગણતરી-પરિણામ સહિતની વિગતો જાહેર

top-news
  • 15 Mar, 2024

 છેલ્લાં કેટલાંક સમયથી સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ક્યારે જાહેર થશે ???  કે થઈ શકે છે. એવામાં ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી  છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

આવતીકાલે બપોરે આ તારીખો જાહેર કરવામાં આવશે ,એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન પંચ કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરશે  ખાસ વાત એ છે કે તાજેતરમાં જ ચૂંટણી પંચમાં બે નવા કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિએ ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની પસંદગી કરવામાં આવી હતી. 

જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુનું સ્વાગત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એક ઐતિહાસિક સમયે તેમની નિમણૂકના મહત્વ વિશે વાત કરી હતી. જ્યારે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે તેમની નિમણૂક મહત્વની સાબિત થઈ છે. 14 ફેબ્રુઆરીએ અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને 8 માર્ચે અરુણ ગોયલના અચાનક રાજીનામા બાદ ચૂંટણી પંચમાં આ જગ્યાઓ ખાલી પડી હતી જે નવા કમિશનર સાથે ભરાઈ ગઈ છે.

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે શનિવારે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવવાની છે. સામાન્ય ચૂંટણીના સમયપત્રક ઉપરાંત ચૂંટણી પંચ ઓડિશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરશે.

સામાન્ય ચૂંટણીઓ 543 મતવિસ્તારોમાં અનેક તબક્કામાં યોજાય છે અને પરિણામો એક જ દિવસે જાહેર કરવામાં આવે છે, મોટે ભાગે તે મે મહિનામાં કરવામાં આવતી હોય છે. ગયા વખતે લોકસભા ચૂંટણી 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. અને મતગણતરી 23 મેના રોજ થઈ હતી.

તાજેતરમાં જ ભાજપે આગામી ચૂંટણી માટે કુલ 250 ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં 82 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાના છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎