:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

લોકસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર કરાશે : ચુંટણી પંચ મતદાન તારીખ,મતગણતરી-પરિણામ સહિતની વિગતો જાહેર

top-news
  • 15 Mar, 2024

 છેલ્લાં કેટલાંક સમયથી સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ક્યારે જાહેર થશે ???  કે થઈ શકે છે. એવામાં ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી  છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

આવતીકાલે બપોરે આ તારીખો જાહેર કરવામાં આવશે ,એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન પંચ કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરશે  ખાસ વાત એ છે કે તાજેતરમાં જ ચૂંટણી પંચમાં બે નવા કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિએ ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની પસંદગી કરવામાં આવી હતી. 

જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુનું સ્વાગત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એક ઐતિહાસિક સમયે તેમની નિમણૂકના મહત્વ વિશે વાત કરી હતી. જ્યારે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે તેમની નિમણૂક મહત્વની સાબિત થઈ છે. 14 ફેબ્રુઆરીએ અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને 8 માર્ચે અરુણ ગોયલના અચાનક રાજીનામા બાદ ચૂંટણી પંચમાં આ જગ્યાઓ ખાલી પડી હતી જે નવા કમિશનર સાથે ભરાઈ ગઈ છે.

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે શનિવારે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવવાની છે. સામાન્ય ચૂંટણીના સમયપત્રક ઉપરાંત ચૂંટણી પંચ ઓડિશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરશે.

સામાન્ય ચૂંટણીઓ 543 મતવિસ્તારોમાં અનેક તબક્કામાં યોજાય છે અને પરિણામો એક જ દિવસે જાહેર કરવામાં આવે છે, મોટે ભાગે તે મે મહિનામાં કરવામાં આવતી હોય છે. ગયા વખતે લોકસભા ચૂંટણી 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. અને મતગણતરી 23 મેના રોજ થઈ હતી.

તાજેતરમાં જ ભાજપે આગામી ચૂંટણી માટે કુલ 250 ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં 82 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાના છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎