:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શૂન્ય ડિગ્રીથી નીચા તાપમાને ઉપવાસ કરનારા પર્યાવરણ કાર્યકરે ૨૧ દિવસે પારણાં કર્યા: લદ્દાખમાં ચીને 4,000 કિ.મી. જમીન પચાવી પાડી : વાંગચૂકનો દાવો

top-news
  • 01 Apr, 2024

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ કેટલાય વર્ષો થી ચાલી રહ્યો છે,લદ્દાખના રહેવાસી મુજબ ચીને આપની જમીન છેલ્લા એક દાયકાથી પણ વધુ સમય પહેલા પચાવી પાડી છે,  અને આ મુદ્દે કાયમ ઘર્ષણ થતું આવ્યું છે, જેને લઈને હાલ માં પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે પૂર્ણ રાજ્યના દરજ્જા, ૬ઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખના સમાવેશ સહિત કેટલીક માગણીઓ સાથે ૨૧ દિવસ સુધી ભૂખ હડતાળ કર્યા પછી ગાંધી ચિંધ્યા 'સત્યાગ્રહ'ના માર્ગે આંદોલન ચાલુ રાખવાની હાકલ કરી છે. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે, તેઓ આ મહિને લદ્દાખના લગભગ ૧૦,૦૦૦ લોકો સાથે ચીનની સરહદ સુધી મોરચો કાઢશે, જેથી દુનિયાને એ બતાવી શકાય કે ચીને ભારતની ૪,૦૦૦થી વધુ કિ.મી. જમીન પચાવી પાડી છે. વાંગચૂકના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે.

લદ્દાખ માટે કેટલીક માગણીઓ સાથે શૂન્ય ડિગ્રીથી નીચા તાપમાને આમરણ ઉપવાસ કરનારા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે ૨૧ દિવસ પછી પારણાં કર્યા હતા. જોકે, તેમણે પોતાની માગણીઓ માટેનું આંદોલન 'સત્યાગ્રહ'ના માર્ગે ચાલુ રાખવાનો દાવો કર્યો હતો. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની ૪,૦૦૦થી વધુ કિ.મી.ની જમીન પચાવી પાડી છે. લદ્દાખના ભરવાડોને પહેલા તેઓ જ્યાં ઢોર ચરાવવા જતા હતા ત્યાં જવા દેવાતા નથી. હવે તેમને અનેક કિ.મી. પહેલા જ અટકાવી દેવાય છે. કારણ કે આ વિસ્તારમાં ભારતની ભૂમી ચીને પચાવી પાડી છે પરંતુ તેની દેશ અને દુનિયાને જાણ થવા દેવાતી નથી.

વાંગચૂકે કહ્યું કે, અમે ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેંગોંગ ત્સો સરોવરના ઉત્તરી અને દક્ષિણી કિનારે ફિંગર એરિયા, ડેમચોક, ચુશુલ સહિત અન્ય વિસ્તારોમાં ૧૦,૦૦૦ લોકો સાથે માર્ચ કાઢીશું. આ રેલી ૨૭ માર્ચ અથવા ૭ એપ્રિલે યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,અમે આ માર્ચ દરમિયાન એવા પ્રદેશો, ઢોરોને ચરાવવા માટેની મુખ્ય જમીનો પણ બતાવીશું જેને સૌર પાર્કમાં બદલવામાં આવી રહી છે. લોકો કોર્પોરેટ્સના હાથે પોતાની જમીન ગુમાવી રહ્યા છે. વાંગચૂકે કહ્યું કે, અહીંના લોકો અંદાજે ૧.૫૦ લાખ વર્ગ કિ.મી. જમીન ગુમાવી ચૂક્યા છે, જ્યાં પહેલાં ઢોર ચરાવવામાં આવતા હતા.

ઉત્તરમાંથી ચીન અતિક્રમણ કરી રહ્યું છે. ચીની સૈન્યે છેલ્લા કેટલાક વર્ષોમાં ૪,૦૦૦ કિ.મી. જેટલા વિસ્તાર પર કબજો કરી લીધો છે. કેટલાક લોકોએ જણાવ્યું કે સરહદ વિવાદના કારણે પૂર્વીય લદ્દાખના કુલ ૬૫ પેટ્રોલિંગ પોઈન્ટમાંથી ઓછામાં ઓછા ૨૬ પોઈન્ટ પર પેટ્રોલિંગ કરવામાં નથી આવી રહ્યું. નોંધનીય છે કે ગલવાનમાં ૧૫ જૂન ૨૦૨૦ના રોજ ચીનના સૈન્ય સાથે હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા પછી સરહદ પર જવાનોને પાછા હટાવવા અને બફર ઝોન અથવા નો-ગો એરિયા બનાવવા માટે બંને દેશના સૈન્ય વચ્ચે કેટલાક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી. 

ભાજપ પર વચન ભંગ કરવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે લદ્દાખના લોકોને વચન આપ્યું હતું કે આ વિસ્તારનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરાશે, પરંતુ હવે સરકારે આ વચન પાળવાનો ઈન્કાર કરી દીધો છે. આ વિશ્વાસ તોડવા સમાન છે. કેન્દ્ર સરકારના આ પ્રકારના વર્તનથી સ્થાનિક લોકો ખૂબ જ નિરાશ, હતાશ અને ક્રોધિત છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં એક પણ બેઠક નહીં મળે. અમે માત્ર લદ્દાખને નહીં, પરંતુ આખા દેશને જગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

 સરકાર આ રીતે ચૂંટણી વચનોનું સન્માન નહીં કરે અને તે મજાક બનીને રહી જશે તો અમે આ પક્ષને ફરીથી સત્તા પર લાવવા માટે શા માટે વોટ આપીએ તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. સોનમ વાંગચુકે ઉમેર્યું હતું કે જો લદ્દાખના લોકોની માંગણીઓ પૂરી ન થાય તો તેઓ ફરી એકવાર ભૂખ હડતાળ પર જવા માટે તૈયાર છે કારણ કે "અમે અમારા ભવિષ્ય અને બાળકો માટે લડી રહ્યા છીએ".

છઠ્ઠી અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના આદિવાસી વિસ્તારોના સ્વાયત્ત જિલ્લા પરિષદો દ્વારા વહીવટ સંબંધિત જોગવાઈઓ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎