:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રિઝર્વ બેંકને 90 વર્ષ પૂર્ણ થવા પર મોદીએ કર્યો 90 રૂનો સિક્કો લોન્ચ ચાંદીના સિક્કાની એક બાજુ બઁકનો લોગો ,બીજી બાજુ 90 રૂ લખેલ છે

top-news
  • 01 Apr, 2024

પહેલી એપ્રિલ 2024ના રોજ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ  90 વર્ષ પૂર્ણ થયા , તેથી આ શુભ અવસરે વડાપ્રધાન મોદીએ 90 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. આ સિક્કાની વિશેષતા એ છે કે તેને 40 ગ્રામ શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવ્યો છે. ત્યારે આ સિક્કાની અંદાજિત કિંમત 5200 થી 5500 રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના છે.

બેંકિંગ રેગ્યુલેટર RBI આજે 90 વર્ષની થઈ. રિઝર્વ બેંકના 90 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ 90 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. દેશમાં પહેલીવાર 90 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કાની વિશેષતા એ છે કે તે શુદ્ધ ચાંદીનો બનેલો છે. આ સિવાય તેમાં 40 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 રૂપિયાના ચાંદીના સિક્કાની એક બાજુ બેંકનો લોગો છે અને બીજી બાજુ 90 રૂપિયા લખેલ છે.

ઉપરાંત, તેની જમણી બાજુ હિન્દીમાં અને ડાબી બાજુ અંગ્રેજીમાં ભારત લખેલું હશે. તેની એક તરફ આરબીઆઈનો લોગો હશે અને ઉપરના પરિમિતિ પર હિન્દીમાં અને નીચલા પરિમિતિ પર અંગ્રેજીમાં ભારતીય રિઝર્વ બેંક લખેલું હશે. લોગોની નીચે RBI @90 લખેલું હશે.

ભારત સરકારની ટંકશાળમાં બનેલા આ 90 રૂપિયાના સિક્કાનું વજન 40 ગ્રામ હશે જે 99.9 ટકા શુદ્ધ ચાંદીથી બનેલું છે. આ પહેલા પણ 1985માં રિઝર્વ બેંકની ગોલ્ડન જ્યુબિલી અને 2010માં રિઝર્વ બેંકની પ્લેટિનમ જ્યુબિલી પર સ્મારક સિક્કા જારી કરવામાં આવ્યા છે.

90 રૂપિયાનો આ સિક્કો લૉન્ચ થયા પછી, તે ફેસ વેલ્યુ કરતાં વધુ પ્રીમિયમ પર વેચવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, આ સિક્કાની અંદાજિત કિંમત 5200 થી 5500 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. દેશભરના બેંક કર્મચારીઓ સહિત સિક્કા સંગ્રહ કરનારાઓમાં આ સિક્કાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 માર્ચ, 2024 ના રોજ, આર્થિક બાબતોના વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આ સિક્કાના પ્રકાશન માટે એક ગેઝેટ સૂચના પણ બહાર પાડવામાં આવી હતી.

આરબીઆઈના 90 વર્ષના કાર્ય વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવામાં આરબીઆઈની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી રહી છે. આરબીઆઈ જે પણ કામ કરે છે તેની સીધી અસર દેશના સામાન્ય લોકોના નાણાં પર પડે છે. RBI એ છેલ્લા માઈલ પર ઉભેલા લોકોને નાણાકીય સમાવેશના લાભો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎