ખોખરા પોલીસ મથકના યુવા કર્મીનું નિધનઃ પોલીસ બેડામાં શોકની લાગણી સર્જાઇ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08042024_042839_WhatsApp Image 2024-04-08 at 9.25.45 AM.jpeg)
- 08 Apr, 2024
અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટન્ટ અને રાઈટર તરીકે ફરજ બજાવતા યુવાન પોલીસ કર્મચારી અરવિંદ સોલંકીનું ૩૩ વર્ષેની વયે હ્દયરોગનો હુમલાથી નિધન થવાથી સમગ્ર પોલીસ સ્ટેશનમાં અને તેમના પરિવાર તેમજ મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી સર્જાઇ હતી.
આ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર, શહેરના ખોખરા પોલિસ સ્ટેશનમાં ચાલુ ફરજ દરમ્યાન પોલીસકર્મી અરવિંદભાઇને એકાએક છાતીમાં દુઃખાવો અને ગભરામણ થતા તેઓને સૌ પ્રથમ ખોખરા વિસ્તારની સરકારી રુક્ષ્મણીબેન હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. ત્યારબાદ વધુ સારવાર માટે મણિનગરની LG હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જો કે મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ બપોર બાદ તેમને મૃત જાહેર કરતા શોકની લાગણી સર્જાઇ હતી. આમ તેઓનું આકસ્મિક હ્દયરોગના હુમલામાં મૃત્યુ થતા સમગ્ર ખોખરા પોલીસ સ્ટેશન સહિત શહેર પોલીસ બેડામાં પણ શોક વ્યાપી ગયો હતો.મિલનસાર સ્વભાવના અને પોાતાના કામ પ્રત્યે સદા ઓતપ્રોત રહેતા યુવાન પોલીસ કર્મચારી અરવિંદભાઇ સોલંકીની અણધારી ચીર વિદાયથી ખોખરા પોલીસના જવાનો સ્તબ્ધ બની ગયા હતા અને શોકમાં ગરકાવ બન્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ