:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ખોખરા પોલીસ મથકના યુવા કર્મીનું નિધનઃ પોલીસ બેડામાં શોકની લાગણી સર્જાઇ

top-news
  • 08 Apr, 2024

અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટન્ટ અને રાઈટર તરીકે ફરજ બજાવતા યુવાન પોલીસ કર્મચારી અરવિંદ સોલંકીનું  ૩૩ વર્ષેની વયે હ્દયરોગનો હુમલાથી નિધન થવાથી સમગ્ર પોલીસ સ્ટેશનમાં અને તેમના પરિવાર તેમજ મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી સર્જાઇ હતી.

આ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર, શહેરના ખોખરા પોલિસ સ્ટેશનમાં ચાલુ ફરજ દરમ્યાન પોલીસકર્મી અરવિંદભાઇને એકાએક છાતીમાં દુઃખાવો અને ગભરામણ થતા તેઓને સૌ પ્રથમ ખોખરા વિસ્તારની સરકારી રુક્ષ્મણીબેન હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. ત્યારબાદ વધુ સારવાર માટે મણિનગરની LG હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જો કે મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ  બપોર બાદ તેમને મૃત  જાહેર કરતા શોકની લાગણી સર્જાઇ હતી. આમ તેઓનું આકસ્મિક હ્દયરોગના હુમલામાં મૃત્યુ થતા સમગ્ર ખોખરા પોલીસ સ્ટેશન સહિત શહેર પોલીસ બેડામાં પણ  શોક વ્યાપી ગયો હતો.મિલનસાર સ્વભાવના  અને પોાતાના કામ પ્રત્યે સદા ઓતપ્રોત રહેતા યુવાન પોલીસ કર્મચારી અરવિંદભાઇ સોલંકીની અણધારી ચીર વિદાયથી ખોખરા પોલીસના જવાનો સ્તબ્ધ બની ગયા હતા અને શોકમાં ગરકાવ બન્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎