દારૂ કૌભાંડ કેસમાં EDનું દુર્ગેશ પાઠકને તેડું : પાર્ટીના જૂના નેતાઓમાંના એક જે શરૂઆતના દિવસોથી જોડાયેલ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08042024_124902_17-4.jpg)
- 08 Apr, 2024
એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ પર ED રૂપે મુશ્કેલીઓ આવતીજ રહે છે. હાલમાં પાર્ટીના નેતા અને નાયબ મુખ્યમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રીની ED દ્વારા અટકાયત કરવામાં આવી છે,જેમાં રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત પાર્ટીના ઘણા નેતાઓ કથિત દારૂ કૌભાંડ કેસમાં ED પૂછપરછ કરી રહી છે. હવે આ મામલે વધુ એક નેતા ફસાયા હોય તેમ લાગી રહ્યું છે.
દારૂ કૌભાંડ કેસમાં EDએ દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પાઠક બપોરે 2 વાગ્યે EDની ઓફિસે પહોંચ્યા હતા. તે જ સમયે, ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમારની પણ પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભવ કુમાર અને દુર્ગેશ પાઠકની પૂછપરછ કરી ચૂકી છે.
અહેવાલ છે કે EDએ દુર્ગેશ પાઠકનો ફોન જપ્ત કર્યો છે અને તેને પૂછપરછ માટે બોલાવ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિષીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભાજપ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આતિશીનું કહેવું છે કે ભાજપ આમ આદમી પાર્ટીને પ્રચાર કરતા રોકવાનું ષડયંત્ર કરી રહી છે. મંત્રીએ કહ્યું કે ઇડી અને ભાજપ વચ્ચે રાજકીય ગઠબંધન છે. ભાજપ ED દ્વારા કોઈપણ ભોગે AAP પાર્ટીના નેતાઓને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવા માંગે છે.
મનીષ સિસોદિયા, સંજય સિંહ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ હવે દુર્ગેશ પાઠક EDની પકડમાં હોય તેવું લાગી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂ કૌભાંડ કેસમાં તેનું નામ સામે આવી રહ્યું છે. જેને લઈને ED દુર્ગેશ પાઠકની પૂછપરછ કરવા જઈ રહી છે.તમને જણાવી દઈએ કે દુર્ગેશ પાઠક દિલ્હીના રાજિંદર નગરના ધારાસભ્ય છે. તેઓ પાર્ટીના જૂના નેતાઓમાંના એક છે જે પાર્ટી સાથે શરૂઆતના દિવસોથી જોડાયેલા હતા.
આ સાથે તેઓ ગોવાની ચૂંટણીમાં પાર્ટીના પ્રભારી પણ હતા. દારૂનું કૌભાંડ આમ આદમી પાર્ટી માટે ગળાનો કાંટો બની રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલમાં છે. પાર્ટીના સાંસદ સંજય સિંહની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જો કે સંજય સિંહ થોડા દિવસ પહેલા જ જામીન પર છૂટ્યા છે.મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને લઈને પાર્ટીના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પાર્ટીના નેતાઓ EDની કાર્યવાહી પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. પાર્ટીનો આરોપ છે કે ED ભાજપના નિર્દેશો પર કામ કરી રહી છે. EDનો ઉદ્દેશ્ય કેજરીવાલની છબીને ખરાબ કરવાનો અને પાર્ટીને કોઈપણ કિંમતે દિલ્હીમાં સત્તા પરથી હટાવવાનો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ