:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દારૂ કૌભાંડ કેસમાં EDનું દુર્ગેશ પાઠકને તેડું : પાર્ટીના જૂના નેતાઓમાંના એક જે શરૂઆતના દિવસોથી જોડાયેલ

top-news
  • 08 Apr, 2024

એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ પર ED રૂપે  મુશ્કેલીઓ આવતીજ રહે છે. હાલમાં પાર્ટીના નેતા અને નાયબ મુખ્યમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રીની ED દ્વારા અટકાયત કરવામાં આવી છે,જેમાં રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત પાર્ટીના ઘણા નેતાઓ કથિત દારૂ કૌભાંડ કેસમાં ED પૂછપરછ કરી રહી છે. હવે આ મામલે વધુ એક નેતા ફસાયા હોય તેમ લાગી રહ્યું છે.

દારૂ કૌભાંડ કેસમાં EDએ દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પાઠક બપોરે 2 વાગ્યે EDની ઓફિસે પહોંચ્યા હતા. તે જ સમયે, ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમારની પણ પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભવ કુમાર અને દુર્ગેશ પાઠકની પૂછપરછ કરી ચૂકી છે.

અહેવાલ છે કે EDએ દુર્ગેશ પાઠકનો ફોન જપ્ત કર્યો છે અને તેને પૂછપરછ માટે બોલાવ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિષીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભાજપ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આતિશીનું કહેવું છે કે ભાજપ આમ આદમી પાર્ટીને પ્રચાર કરતા રોકવાનું ષડયંત્ર કરી રહી છે. મંત્રીએ કહ્યું કે ઇડી અને ભાજપ વચ્ચે રાજકીય ગઠબંધન છે. ભાજપ ED દ્વારા કોઈપણ ભોગે AAP પાર્ટીના નેતાઓને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવા માંગે છે.

મનીષ સિસોદિયા, સંજય સિંહ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ હવે દુર્ગેશ પાઠક EDની પકડમાં હોય તેવું લાગી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂ કૌભાંડ કેસમાં તેનું નામ સામે આવી રહ્યું છે. જેને લઈને ED દુર્ગેશ પાઠકની પૂછપરછ કરવા જઈ રહી છે.તમને જણાવી દઈએ કે દુર્ગેશ પાઠક દિલ્હીના રાજિંદર નગરના ધારાસભ્ય છે. તેઓ પાર્ટીના જૂના નેતાઓમાંના એક છે જે પાર્ટી સાથે શરૂઆતના દિવસોથી જોડાયેલા હતા.

આ સાથે તેઓ ગોવાની ચૂંટણીમાં પાર્ટીના પ્રભારી પણ હતા. દારૂનું કૌભાંડ આમ આદમી પાર્ટી માટે ગળાનો કાંટો બની રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલમાં છે. પાર્ટીના સાંસદ સંજય સિંહની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જો કે સંજય સિંહ થોડા દિવસ પહેલા જ જામીન પર છૂટ્યા છે.મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને લઈને પાર્ટીના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પાર્ટીના નેતાઓ EDની કાર્યવાહી પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. પાર્ટીનો આરોપ છે કે ED ભાજપના નિર્દેશો પર કામ કરી રહી છે. EDનો ઉદ્દેશ્ય કેજરીવાલની છબીને ખરાબ કરવાનો અને પાર્ટીને કોઈપણ કિંમતે દિલ્હીમાં સત્તા પરથી હટાવવાનો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎