નૈનીતાલ નજીક પીકઅપ વાન ખીણમાં ખાબકી: આઠ શ્રમિકોનાં મોત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09042024_065925_Nainital Accident.jpg)
- 09 Apr, 2024
નૈનીતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઉંચાકોટ હાઈવે પર સોમવારે મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યે એક પીકઅપ વાન 200 મીટર ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હાલ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશનના વડા અનીસ અહેમદે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે પીકઅપ વાન ખાઈમાં પડી હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ સ્ટેશનના વડાએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રાઈવર રાજેન્દ્ર કુમાર(42) સિવાય પણ અન્ય નવ નેપાળી મજૂરો આ વાનમાં બેસીને જઈ રહ્યાં હતા.
આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરીને મજૂરો પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા નેપાળી મજૂરોના નામ અને ઘરની માહિતી હજી મેળવવાની બાકી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓ ભાનમાં આવ્યા પછીથી આ માહિતી મળી શકશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ