:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મુખ્યમંત્રી કેજરીવાલને હાઈકોર્ટનો ઝટકો: ધરપકડને પડકારતી અરજી ફગાવાઈ

top-news
  • 09 Apr, 2024

દિલ્હી શરાબ કૌભાંડ મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો  છે. કોર્ટે ઈડી દ્વારા ધરપકડ અને કસ્ટડીને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો સંભળાવતા કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલની વચ્ચેનો મામલો નથી પરંતુ ઈડી અને કેજરીવાલની વચ્ચેનો મામલો છે. તેમને મની લોન્ડ્રિંગના મામલામાં એજન્સીએ ધરપકડ કર્યા છે. આ સંજોગોમાં કોઈને કોઈ વિશેષ અધિકાર ન આપી શકાય. ઈડી પાસે પુરતા પુરાવાઓ છે.  

હાલ મુખ્યમંત્રીને પુછપરછમાંથી છૂટ ન આપી શકાય. જજ કાયદાથી બધાયેલા છે, રાજકારણથી નહી. આ રીતે કોર્ટે નોંધ્યું છે કે કેજરીવાલની ધરપકડમાં સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈ પણ ઉલ્લંઘન થયું નથી.  તેમને રિમાન્ડ પર મોકલવામાં આવે તે પણ યોગ્ય છે. ધરપકડ સિવાય કેજરીવાલે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલવાની વાતને પણ પડકારી હતી. EDની કસ્ટડી બાદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે.

એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. ED કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ નીચલી કોર્ટમાં રજૂ કર્યા બાદ AAP નેતાને 1 એપ્રિલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.