:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેજરીવાલે ધરપકડને સુપ્રીમમાં પડકારી: દિલ્હી હાઈકોર્ટે ફગાવી હતી અરજી

top-news
  • 10 Apr, 2024

દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જોકે મંગળવારે આ અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દેતા આજે અરવિંદ કેજરીવાલે આ અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. 

દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કહેવાતી એક્સાઈઝ પોલિસીમાં અત્યાર સુધી જે કંઈ થયું છે તે જોતા સમજી શકાય છે કે આ આખો મામલો મની લોન્ડરિંગનો નથી પરંતુ રાજકીય ષડયંત્રનો છે.  તેમણે કહ્યું કે આ સૌથી વધુ વોટ અને સીટો જીતનાર સીએમ અને તેમની બે સરકારોને ખતમ કરવાનું મોટું ષડયંત્ર છે. હજારો કરોડની વાત થઈ, પછી સેંકડો કરોડની વાત આવી, પછી 100 કરોડની વાત થઈ પણ એક રૂપિયો પણ રિકવર ન થયો એટલે હવે તપાસ પર સવાલો ઉઠ્યા છે. 

સૌરભ ભારદ્વાજે કહ્યું કે સાક્ષીઓ પર જુબાની માટે કેવું-કેવું દબાણ કરવામાં આવ્યું તે અંગેની વાત વારંવાર કોર્ટ સમક્ષ આવી હતી. ચંદન રેડ્ડી પર તેમનું નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેને એટલો માર મારવામાં આવ્યો કે તેમના કાનના પડદા ફાટી ગયા. અરુણ પિલ્લઈને ડરાવવામાં આવ્યો હતો અને તેની જુબાની બદલવાની ધમકી આપવામાં આવી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎