:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જાન આપી દઈશ પણ CAA લાગુ થવા નહિં દઉં: મમતાનો કેન્દ્રને પડકાર

top-news
  • 11 Apr, 2024

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકતાના રેડ રોડમાં આયોજિત ઈદની નમાઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે બધાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું આ ખુશીઓની ઈદ છે. આ તાકાત આપવા માટેની ઈદ છે. ઈદને એક મહીના સુધી ઉપવાસ કરીને ઉજવવી તે ઘણી મોટી વાત છે. અમે દેશ માટે લોહી વહેવડાવવા તૈયાર છીએ. જોકે દેશ અત્યાચાર સહન કરશે નહીં. સમાન નાગરિક સંહિતા સ્વીકાર્ય નથી. હું બધા ધર્મોમાં એકતા રહે તેમ ઈચ્છું છું. તમારી સુરક્ષા ઈચ્છું છું.

તેમણે બીજેપી પર આરોપ લગાવ્યો કે તે ગણી-ગણીને મુસલમાન નેતાઓને ફોન કરી રહી છે અને પૂછી રહી છે કે તેમને શું જોઈએ છે. ઈદની નમાઝને સંબોધીને મમતા બેનર્જીએ એ વાતની સ્પષ્ટતા કરી કે તે યુનિફોર્મ સિવિલ કોડ, એનઆરસી અને સીએએને લાગુ થવા દેશે નહીં.

પ્રથમ વખત મમતા બેનર્જીએ યુસીસી પર ટીએમસીની સ્થિતિ સાફ કરી છે. લોકસભા ચંટણીના વોટિંગ પહેલા તેમનું આ સ્ટેન્ડ ખૂબ જ મહત્વનું છે. તે દર્શાવે છે કે બંગાળમાં મુસ્લિમ વોટોને મજબૂત કરવાના ઉદેશ્યથી લોકસભા ચૂંટણી પહેલા જ તે યુસીસીની વિરુદ્ધ ઉભા થવા માંગે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎