ચંદ્રયાન-3 પર સૌથી મોટા સમાચાર... ચંદ્ર પર પડેલું પ્રજ્ઞાન રોવર ફરીથી થઈ ગયું એક્ટિવ!

- 22 Oct, 2023
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3નું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે, પરંતુ તે ફરીથી સક્રિય થવાની શક્યતા નકારી શકાય નહીં. સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી સારી રીતે જાણે છે કે રોવર અને લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટી પર સુષુપ્ત અથવા સુષુપ્ત અવસ્થામાં ગયા છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગનો હતો અને ત્યારબાદ આગામી 3 દિવસમાં પ્રયોગો કરવામાં આવ્યા અને તમામ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે.
સોમનાથે કહ્યું, "હવે તે ત્યાં શાંતિથી સૂઈ રહ્યું છે... તેને સારી રીતે સૂવા દો.. આપણે તેને ખલેલ ન પહોંચાડીએ ... જ્યારે તે જાતે સક્રિય થવા માગતું હોય ત્યારે થઈ જશે. હું હવે વધારે કંઈ કહેવા માગતો નથી. શું ઈસરોને હજુ પણ આશા છે કે રોવર ફરીથી સક્રિય થશે તો તેમણે કહ્યું કે, "આશાવાદી બનવાનું કારણ છે. પોતાની "આશા"નું કારણ જણાવતાં સોમનાથે કહ્યું હતું કે આ મિશનમાં એક લેન્ડર અને રોવર સામેલ છે.
રોવર ઓછા તાપમાને એક્ટિવ
સોમનાથે કહ્યું કે લેન્ડર એક વિશાળ માળખું હોવાથી તેની સંપૂર્ણ ચકાસણી થઈ શકી નથી. પરંતુ જ્યારે રોવરનું માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે તેનાથી પણ ઓછા તાપમાને કાર્યરત હોવાનું જણાયું હતું. ઈસરો ચીફે સ્પષ્ટતા કરી હતી કે ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે ઇસરો મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા વૈજ્ઞાનિક ડેટાને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હાલમાં રોવર સ્લીપ મોડમાં
ચંદ્ર પર હાલમાં નાઈટ છે અને રોવર સ્લીપ મોડમાં છે તે ગમે ત્યારે એક્ટિવ થઈ શકે છે કારણ ઓછા તાપમાને પણ સક્રિય હોવાનું ધ્યાનમાં આવ્યું છે એટલે તેના ફરી કામ કરવાની આશા મજબૂત બની છે.