:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વિશ્વભરના દેશોમાં મતદારોને ચૂંટણીની નિષ્પક્ષતા પરથી વિશ્વાસ ઘટ્યો: IDEA જાહેર કર્યો રિપોર્ટ

top-news
  • 12 Apr, 2024

વિશ્વભરના દેશોમાં મતદારોને ચૂંટણીની નિષ્પક્ષતા પર વિશ્વાસ નથી રહ્યો, આ વર્ષે જ અમેરિકા, ભારત, બ્રિટેન અને યુરોપિયન યુનિયનના દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચિંતાજનક છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ અસિસ્ટન્સ (IDEA) દ્વારા આ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં મતદારોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમને ચૂંટણી નિષ્પક્ષ અને પાદર્શી યોજાશે તેના પર વિશ્વાસ નથી રહ્યો. સરવેમાં અમેરિકા, ભારતના મતદારોનો પણ સમાવેશ કરાયો છે.

આ રિપોર્ટને તૈયાર કરવા માટે 19 દેશોના મતદારોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાં ભારત અને અમેરિકા સહિત 11 દેશોમાં અડધાથી પણ ઓછા લોકો માને છે કે તાજેતરની ચૂંટણી નિષ્પક્ષ હતી, માત્ર ડેનમાર્ક એવો દેશ છે જ્યાં મતદારો માને છે કે કોર્ટો હંમેશા નિષ્પક્ષ હોય છે. 19માંથી 18 દેશોમાં અડધાથી વધુ લોકો કોર્ટોની નિષ્પક્ષતાને શંકાસ્પદ માને છે. ન્યાય વ્યવસ્થામાં ઇરાકના નાગરિકોનો વિશ્વાસ અમેરિકાના નાગરિકો કરતા વઘુ જોવા મળ્યો છે. 19માંથી 8 દેશોના મોટાભાગના મતદારોએ કહ્યું હતું કે તેઓ એક એવો મજબૂત નેતા ઈચ્છે છે કે જે ચૂંટણી કે સંસદના બંધનોમાં બંધાયેલો ના હોય. એક મજબૂત નેતાની ઈચ્છા વ્યક્ત કરનારાઓમાં ભારત અને તંજાનિયાના લોકો સૌથી વધુ હતા.

સરવે મુજબ મોટાભાગના મતદારો લોકતાંત્રિક સંસ્થાઓની સ્થિતિથી ખુશ નથી, અનેક દેશોમાં લોકશાહીની સ્થિતિ સારી નથી રહી, અમેરિકામાં આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે ફરી એક વખત ટક્કર જોવા મળશે. 2020માં પણ બંન્ને વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. આ સરવેમાં અમેરિકાના 47 ટકા મતદારો માને છે કે દેશની ચૂંટણી પ્રક્રિયા વિશ્વસનીય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎