:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દશેરાએ અમદાવાદીઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે....!

top-news
  • 23 Oct, 2023

દશેરો એ અસત્ય પર સત્યને વિજય દર્શાવતું મહાપર્વ છે. આ વખતે દશેરા 24 ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવાશે. વિજ્યાદશમી એટલે કે દશેરાની આનંદ-ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં શહેરીજનો દ્વારા વિજ્યાદશમી પર્વ સાથે પરંપરાગત રીતે જોડાયેલા ફાફડા-જલેબી અને ચોળાફળીની મન ભરીને લહેજત માણે છે. અમદાવાદીઓ આ દિવેસ કરોડો રૂપિયાના ફાફડા- જલેબી ઝાપટી જશે.

દશેરાના દિવસે ઠેર-ઠેર ફાફડા જલેબીના સ્ટોલ જોવા મળે છે. એક દિવસમાં લાગતા આ સ્ટોલોમાં કોઈ મંજૂરી લેવાતી નથી. ઘણા સ્થળે તો શહેરના મુખ્ય માર્ગો પર સ્ટોલ લાગેલા હતા. બીજી તરફ શહેરના મુખ્ય બજારોમાં પણ દુકાનદારોએ પાર્કિંગ અને લોકોની અવર-જવરની જગ્યામાં જ સ્ટોલ લગાવીને ફાફડા-જલેબી વેચે છે.  આ વર્ષે પણ વધતી જતી મોંઘવારી ખાદ્યતેલ - ઘી તથા અન્ય સામગ્રીના ભાવમાં થયેલા વધારાના પગલે પ્રતિકિલો 40થી 50 રૂપિયાના વધારા સાથે ફાફડાનો ભાવ 450થી 550 સુધી જોવા મળી રહ્યો છે. બીજી તરફ શુદ્ધ ઘીની જલેબી 1000ના ભાવે વેચાઈ રહી છે.  જ્યારે સામાન્ય બજારમાં સરેરાશ જલેબીના ભાવ 600થી700માં મળી રહી છે.

દશેરાના પર્વ પર કેમ ખાવામાં આવે છે ફાફડા-જલેબી? 

જલેબી સાથે ફાફડા ખાવાના બીજા પણ કારણ છે. કહેવાય છે કે હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ જ ભાવતી. જલેબી સાથે જ્યારે ફરસાણ ખાવાનુ શરૂ થયું ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયુ. અન્ય માન્યતા એવી છે કે નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ બાદ ચણાના લોટની વાનગીથી જ પારણા થવા જોઈએ. એટલે પણ કહી શકાય છે કે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ.