:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાબા રામદેવે કોર્ટને ફરી કહ્યું- સોરી માફ કરો: કોર્ટે કહ્યું મામલો હજી પુરો થયો નથી

top-news
  • 16 Apr, 2024

પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાતો આપવાના કેસમાં યોગા ગુરુ બાબા રામદેવે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી માંફી માંગી છે. જોકે કોર્ટે આ અંગે તેમને ઠપકો આપતા કહ્યું હતું કે આ અંગેની ઘટના ભવિષ્યમાં ફરીથી ન થવી જોઈએ.

કોર્ટની કાર્યવાહી દરમિયાન રામદેવ અને પતંજલિ આર્યુવેદ લિમિટેડના એમડી બાલાકૃષ્ણએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હોવાની વાતને કબુલી હતી. તેમણે કોર્ટને અરજ કરતા કહ્યું હતું કે તેઓ આ અંગેની તકેદારી રાખશે અને તે માટે કેટલાક પગલા લેશે. તેઓ ભૂતકાળમાં થયેલી ભૂલ અંગે જાહેરમાં માફી પણ માંગશે.

સુપ્રીમ કોર્ટે પતંજલિની નિંદા કરતા કહ્યું હતું કે તમે સારુ કામ કરી રહ્યાં છો પરંતુ તમે એલોપેથીને ખરાબ ગણાવી શકો નહિ. કોર્ટે વધુમાં ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમને અગાઉના અમારા આદેશ વિશે ખબર ન હોય તેટલા તમે નિર્દોષ નથી. સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને ભામ્રક જાહેરાત વિશે જાહેરમાં ખુલાસો કરવા અંગે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. આ અરજીની વધુ સુનાવણી 23 એપ્રિલે હાથ ધરાશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎