:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આર્થિક સેવાના પ્રોબેશનર્સે કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: મહિલા અધિકારીઓને નારી વિકાસના કામનો અનુરોધ કર્યો

top-news
  • 16 Apr, 2024

ભારતીય આર્થિક સેવા (2022 -23 બેચ)ના પ્રોબેશનર્સના એક ગ્રૂપે 16 એપ્રિલ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી.અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના વિકાસમાં આર્થિક વૃદ્ધિ એ એક મહત્વપૂર્ણ ઘટક છે. મેક્રો અને માઈક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સને પ્રોગ્રેસના ઉપયોગી પરિમાણો ગણવામાં આવે છે.

તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને અસરકારક અને ઉપયોગી બનાવવામાં અર્થશાસ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેઓએ તેમની ક્ષમતાઓને વધારવા અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે આવનારા સમયમાં અસંખ્ય તકો મળશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આર્થિક સેવા અધિકારીઓ પાસેથી આર્થિક વિશ્લેષણ અને વિકાસ કાર્યક્રમોની રચના તેમજ સંસાધન વિતરણ પ્રણાલીને મજબૂત કરવા અને યોજનાઓનું મૂલ્યાંકન કરવા માટે યોગ્ય સલાહ આપવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે કારણ કે તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે નીતિઓ નક્કી કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ડેટાના વિશ્લેષણ અને પુરાવા આધારિત વિકાસ કાર્યક્રમોના અમલીકરણથી સરકારને લોકોના આર્થિક ઉત્થાનને વેગ આપવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું કે યુવા IES અધિકારીઓની ફરજ છે કે તેઓ નવા વિચારો, પદ્ધતિઓ અને તકનીકો દ્વારા પોતાની કાર્યક્ષમતામાં વધારો કરે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની સર્જનાત્મકતા આ ઝડપથી બદલાતા યુગમાં દેશ માટે પ્રગતિના નવા દરવાજા ખોલવામાં મદદ કરશે.

રાષ્ટ્રપતિને તે જાણીને પ્રસન્નતા થઈ કે 2022 અને 2023 બેચના 60 ટકાથી વધુ IES અધિકારીઓ મહિલા અધિકારીઓ હતા. તેમણે કહ્યું કે મહિલાઓની વધતી ભાગીદારી ભારતના સમાવેશી વિકાસના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેમણે મહિલા અધિકારીઓને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.રાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓને નીતિ સંબંધિત સૂચનો આપતી વખતે અથવા તેમના કાર્યસ્થળ પર કોઈ નિર્ણય લેતી વખતે દેશના ગરીબ અને પછાત વર્ગના હિતને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎