:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રામલલાનું થયું પ્રથમ સૂર્યતિલક: અયોધ્યાના મંદિરમાં ભવ્ય-દિવ્ય નજારો...

top-news
  • 17 Apr, 2024

આજે દેશમાં ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે રામનવમીનું વિશેષ મહત્વ છે. કારણ કે અયોધ્યામાાં રામ મંદિરના નિર્માણ પછી રામલલાની આ પ્રથમ રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ-પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંત્રોચ્ચારની સાથે રામલલાનો સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામ મંદિરમાં વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે. રામનવમીના પ્રસંગે રામ મંદિરના કપાટ ભક્તો માટે સવારે 3.30 વાગ્યાથી ખોલી નાખવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે રાતે 11 વાગ્યા સુધી ભક્ત રામલલાના દર્શન કરી શકશે. એવામાં મંદિરમાં શ્રદ્ધાળુંઓની ભીડ જમા થઈ છે. બપોરે 12.16 કલાકે રામલલાનું સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલાના સૂર્યાભિષેકના પ્રસંગે જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમણે વિશ્વભરના રામભક્તોને આગ્રહ કર્યો હતો કે તેઓ આ અદભૂત ક્ષણના સાક્ષી જરૂર બને. પીએમ મોદીએ કહ્યું કે દિવ્ય-ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા પછી આ પ્રથમ રામનવમી છે. જેમાં પ્રભુ શ્રીરામના સૂર્યતિલકનો અલૈકિક પ્રસંગ પણ આવ્યો છે. વિશ્વભરના રામ ભક્તોને મારો આગ્રહ છે કે તે આ અદભૂત ક્ષણના સાક્ષી જરૂર બની.

રામ મંદિરમાં હાલ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આસ્થા અને વિજ્ઞાનના સંગમથી રામલલાનો સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રામલલાનું કપાળ સૂર્યના કિરણોથી ઝળહળી ઉઠ્યું. 500 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીરામનો સૂર્યાભિષકે થયો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎