:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

બેતુલમાં હોમગાર્ડ - પોલીસકર્મીઓની બસનો અકસ્માત : ચૂંટણી ફરજ માટે ગયેલા જવાનોની બસ - ટ્રક અથડાતાં 21 ઘાયલ

top-news
  • 20 Apr, 2024

મધ્યપ્રદેશના બેતુલમાં, ચૂંટણી ફરજ માટે ગયેલા હોમગાર્ડ અને પોલીસકર્મીઓને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ અને પલટી ગઈ, જેમાં 21 લોકો ઘાયલ થયા હતા. છિંદવાડા જિલ્લામાં ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા ઓછામાં ઓછા 21 સુરક્ષાકર્મીઓ બેતુલમાં બસ અકસ્માતમાં ઘવાયા. પોલીસે જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓ છિંદવાડા જિલ્લામાં ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહ્યા હતા, જ્યાં શુક્રવારે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાકર્મીઓથી ભરેલી બસ છિંદવાડા જિલ્લામાંથી રાજગઢમાં ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહી હતી ત્યારે બેતુલના બરેથા ઘાટ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ, પલટી ખાઈ ગઈ અને ખાડામાં પડી ગઈ. જિલ્લામાં, ઓછામાં ઓછા 21 કર્મચારીઓને ઈજાઓ થઈ. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અકસ્માતની માહિતી મળતાં જ બેતુલ અને શાહપુરથી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે ઘાયલ સુરક્ષાકર્મીઓની સારવાર બેતુલ અને શાહપુરની સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે.

જ્યારે 13 જવાનોની શાહપુર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.” તેમણે કહ્યું કે અકસ્માતગ્રસ્ત બસમાં 44 સુરક્ષાકર્મીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી પાંચ રાજ્ય પોલીસના હતા, જ્યારે બાકીના હોમગાર્ડના જવાનો હતા. અધિકારીઓએ જણાવ્યું કે બસ આગળ જઈ રહેલા એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી અને સામેથી આવી રહેલી બીજી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ પલટી ખાઈને ખાડામાં પડી ગઈ હતી, જેમાં વાહનમાં મુસાફરી કરી રહેલા 21 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. નોંધનીય છે કે 19 એપ્રિલના રોજ દેશભરની 102 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં મધ્ય પ્રદેશની છ બેઠકોનો સમાવેશ થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎