:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાંગ્લાદેશમાં ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર... ઘટનામાં 15થી વધુ પ્રવાસીઓના થયા મોત

top-news
  • 23 Oct, 2023

બાંગ્લાદેશના કિશોરગંજમાં આજે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 15 મુસાફરોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.રાજધાની ઢાકાથી લગભગ 80 કિમી દૂર ભૈરબ વિસ્તારમાં આ અકસ્માત થયો છે.

સ્થાનિક મીડિયાએ ઘટના સ્થળે હાજર લોકોને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત ખૂબ ભયાનક હતો, ટ્રેનો અથડાવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. હજુ પણ કેટલાક લોકો ટ્રેનની નીચે ફસાયેલા છે. આ લોકો ક્ષતિગ્રસ્ત કોચની નીચે દટાયેલા છે. જો કે ફાયર સર્વિસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

માલગાડીએ પાછળથી અગરો સિંધુર ટ્રેનને ટક્કર મારી

ઢાકા રેલ્વેના પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે માલગાડીએ પાછળથી અગરો સિંધુર ટ્રેનને ટક્કર મારી હતી." ભૈરબના એક સરકારી અધિકારી સાદિકુર રહેમાને એએફપીને જણાવ્યું હતું કે, "અમે 15 મૃતદેહો બહાર કાઢ્યા છે અને ઘણા ઘાયલ થયા છે." મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.

આ અકસ્માતમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. સ્થળ પરના લોકો ક્ષતિગ્રસ્ત બોગીઓ નીચે ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં પણ મદદ કરી રહ્યા છે. ટ્રેન અકસ્માતની તસવીર જોઈને દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. ટ્રેનનો એક ડબ્બો સંપૂર્ણ રીતે પલટી ગયેલો જોવા મળી રહ્યો છે.