:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

પટનામાં રેલવે સ્ટેશનની નજીક આગ: 6 લોકોનાં મોત, 20ને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા

top-news
  • 25 Apr, 2024

પટના રેલવે સ્ટેશનની નજીક આવેલી એક હોટલમાં આગ લાગતા ગુરુવારે 6 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે એક સિનિયર અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 20 જેટલા લોકોને અહીંથી સલામત સ્થળે ખસેડી નાખવામાં આવ્યા છે.
હોમગાર્ડ એન્ડ ફાયર સર્વિસના શોભા ઓથેકરે જણાવ્યું હતું કે અમે લગભગ 16000 જેટલી હોટલ્સનું ફાયર ઓડિટ કર્યું છે અને હજી અન્ય હોટલ્સનું ઓડિટ કરવાની કાર્યવાહી ચાલુ છે. કેટલાક હોટલવાળાઓ ઓડિટ કર્યા પછી આપવામાં આવેલી ઈન્સ્ટ્રક્શનને અનુસરે છે, જ્યારે કેટલાક લોકો તેને બિલકુલ અનુસરતા નથી. 

આ આગ સિલિન્ડર બ્લાસ્ટના પગલે લાગી હતી. આગ લાગી હોવાની માહિતી સવારે 11 કલાકે મળી હતી. માહિતી મળ્યા પછી તાત્કાલિક ફાયર બ્રિગડના ટેન્કર્સને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા અને બાદમાં થોડા જ કલાકોમાં આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.