:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જો NOTAને સૌથી વધુ મત મળે તો શું?: સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગ પાસે માંગ્યો જવાબ

top-news
  • 26 Apr, 2024

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્શન કમિશનને નન ઓફ ધ એબોવ(NOTA) વિકલ્પને લગતી એક અરજી સંદર્ભે નોટીસ ફટકારી હતી. નન ઓફ ધ એબોવ અંગે કોર્ટમાં કરવામાં આવેલી એક અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે જે તે મતવિસ્તારમાં જો NOTAના વિકલ્પનો વધુ ઉપયોગ થયો હોય તો ત્યાંના પરિણામને રદ કરવામાં આવે અને ત્યાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે. 

જાણીતા મોટીવેશનલ સ્પીકર અને લેખક એવા શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરીને એવી માંગ કરી હતી કે જે તે ઉમેદવારને જો નોટા કરતા પણ ઓછા મત મળે તો તેને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા દેવામાં ન આવે. શિવ ખેરા તરફથી કોર્ટમાં રજૂઆત કરી રહેલા એડવોકેટ ગોપાલ શંકરનારાયણે કહ્યું હતું કે સુરતમાં ભાજપના ઉમેદવારને હાલ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ ઉદાહરણને ટાંકીને રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ એક ઉમેદવાર સિવાય કોઈ અન્ય ઉમેદવારો ભલે ચૂંટણી લડતા ન હોય, તેમ છતાં મતદારોને નોટાનો વિકલ્પ આપવો જોઈએ. કારણ કે દરેક નાગરિકને રાઈટ ટું રીજેકટનો અધિકાર આપવામાં આવ્યો છે.

અરજદારે રજૂઆત કરતા કહ્યું હતું કે નોટાનો મુખ્ય ઉદેશ્ય વિવિધ રાજકીય પક્ષો સારા ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખે તેનો છે. હાલની વાત કરીએ તો ઘણા ઉમેદવારો અત્યાર એવા છે, જેમની પર ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. આવા સંજોગોમાં જો વોટર પાસે નોટાનો વિકલ્પ હોય તો તે તેનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગથી જે તે વિસ્તારમાંથી ફરીથી ચૂંટણી થઈ શકે.