:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે 25 કર્મચારીઓને હટાવ્યાં: કેબિન ક્રુ મેમ્બર્સને કામ અંગે રિપોર્ટિગ ન કરવા બદલ પાણીચું પકડાવવામાં આવ્યું

top-news
  • 09 May, 2024

એર ઈન્ડિયા એક્સપ્રેસે કામ અંગે રિપોર્ટિંગ ન કરવાના મામલામાં 25 જેટલા કેબિન ક્રુ મેમ્બર્સને કાઢી મુક્યા છે. જ્યારે જે ક્રુ મેમ્બર્સ હાલ હડતાળ પર છે, તેમને કામ પર હાજર થવાની છેલ્લી સુચના આપીને કહેવામાં આવ્યું છે કે તેઓ ગુરુવારે 4 વાગ્યા સુધીમાં કામ પર આવી જાય. 

બુધવારે ટાટા ગ્રુપની એરલાઈનના અયોગ્ય વહીવટના વિરોધમાં અચાનક જ 200 જેટલા ક્રુ મેમ્બર્સ બીમાર હોવાનું કહીને રજા પર ઉતરી ગયા હતા. તેના પગલે એર ઈન્ડિયાની 100 જેટલી ફ્લાઈટ્સને રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ્સ રદ થવાના પગલે ભારતમાં 15,000 જેટલા પેસેન્જર્સને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ક્રુ મેમ્બર્સની આ હડતાળના પગલે કોચી, કાલીકટ, દિલ્હી અને બેંગલુરુ સહિતના એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક મુસાફરી કરી રહેલા મુસાફરોને મુશ્કેલી થઈ હતી અને તેમણે પોતાનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક મુસાફરોએ અન્ય એરલાઈન્સમાં ટ્રાવેલ કરવાની ફરજ પડી હતી. દિલ્હી એરપોર્ટ પર સવારના 4 વાગ્યાથી સાંજના 4 સુધીમાં 14 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎