:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સંદેશખાલી કેસમાં આવ્યો નવો વળાંક: એક મહિલાએ કર્યો દાવો, કહ્યું- આવાસ યોજનામાં નામ સામેલ કરવાનું કહી સહી કરાવડાવી

top-news
  • 09 May, 2024

પશ્ચિમ બંગાળના સંદેશખાલીની રહેવાસી ત્રણમાંથી એક મહિલાએ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સામે મૂકેલા દુષ્કર્મના આરોપો પાછા ખેંચી લેતાં નવી ચર્ચા શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીની રહેવાસી મહિલાએ આરોપ પાછો ખેંચતાં કહ્યું કે મારી પર દુષ્કર્મ થયું જ નથી. તેણે આરોપ લગાવ્યો કે ભાજપના સભ્યોએ મારા પાસે એક કોરા કાગળ પર સહી કરાવી અને પછી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. 

એક અહેવાલ અનુસાર મહિલાએ દાવો કરતા કહ્યું કે ભાજપે મારા પર કોરા કાગળો પર સહી કરવા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ખોટા આરોપો પાછા ખેંચવા બદલ હવે મહિલાએ ધમકીઓ અને સામાજિક બહિષ્કારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ અંગે મહિલાએ સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં એક નવી ફરિયાદ પણ નોંધાવી છે. નોંધનીય છે કે સંદેશખાલીમાં મહિલાઓ પર દુષ્કર્મનો કથિત કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો.

મહિલાના જણાવ્યા પ્રમાણે સ્થાનિક ભાજપ મહિલા મોરચાના અધિકારીઓ અને અન્ય પાર્ટીના સભ્યો તેના ઘરે આવ્યા હતા. આ પછી તેને નકલી ફરિયાદ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે મહિલાએ આક્ષેપ કરતા કહ્યું કે એ લોકોએ આવાસ યોજનામાં મારું નામ સામેલ કરવાના બહાને મારી સહી લીધી હતી. બાદમાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં મને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવ્યું હતું. TMC ઓફિસમાં મારી કોઈ જાતીય સતામણી કરાઈ જ નથી. આ સિવાય મને ક્યારેય મોડી રાતે પાર્ટી ઓફિસ જવા દબાણ કરાયું જ નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎