ગુજરાતમાં આવતીકાલે અહીં ફરી મતદાન: બુથ કેપ્ચરીંગની ઘટના પછી ચૂંટણી પંચે ફરી ચૂંટણી કરવા આપ્યો છે આદેશ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09052024_102727_dahod.webp)
- 09 May, 2024
દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર મતદાન મથકે મતદાન થયું હતું. જેમાં બુથ કેપ્ચરીંગ બાદ ફરીથી ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે 11 મેનાં રોજ ફરીથી ચૂંટણી કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
દાહોદ બુથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન આવ્યું છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલે કહ્યું હતું કે દાહોદ પોલીસને સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિઓ ધ્યાને આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાયો છે. તેને લઇ SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આરઓ સાથે આ મુદ્દે ચર્ચા ચાલુ છે. જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા. સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે, RO સાથે ચર્ચા થશે અને પછી નિર્ણય લેવાશે. પિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે. ROના રીપોર્ટના આધારે નિર્ણય કરવામાં આવશે. બુથ કેપ્ચરિંગમાં સામેલ બંને લોકોની ધરપકડ કરવામાં આવશે. જોકે અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી.
ઉલ્લેખનીય છે કે દાહોદના સંતરામપુરમાં એક બુથ પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વીડિયો કરતા હોબાળો મચી ગયો હતો. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે ચૂંટણી પંચે આ બેઠક પર 11 મેએ ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ