:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કેજરીવાલને મોડે-મોડે મળી સફળતા: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી મંજૂર, 1 જૂન સુધી બહાર રહી શકશે

top-news
  • 10 May, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીને મંજૂર કરી છે. કોર્ટે 1 જૂન સુધી તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરતું એક સોગાંદનામું કોર્ટ સમક્ષ દાખલ કર્યું હતું. બીજી તરફ લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાની તૈયારી છે. એવું પ્રથમ વખત બનશે કે કોઈ રાજકીય પાર્ટીને કોઈ ક્રિમિનલ કેસમાં અપરાધી બનાવવામાં આવશે. 

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) દ્વારા કોર્ટમાં કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતું સોગાંદનામું દાખલ કરવામા આવ્યું હતું. આ સોગાંદનામામાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને વચગાળાના જામીન એટલે ન આપવામાં આવે કારણ કે રાઈટ ટું કેમ્પેન એ કાયદાકીય હક્ક છે, તે કોઈ બંધારણીય હક નથી. સિબ્બલે કહ્યું હતું કે આ વાત સાચી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને સજા થઈ હોય અને કોર્ટે પણ એવું કહ્યું હોય કે તે સજા પર સ્ટે આપે છે અને તે વ્યક્તિ ચૂંટણી પ્રચારમાં ભાગ લે છે, તો તેમને જ પૂછો કે કઈ રીતે હાર્દિક પટેલ ચૂંટણી લડી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎