:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

કેજરીવાલને મોડે-મોડે મળી સફળતા: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી મંજૂર, 1 જૂન સુધી બહાર રહી શકશે

top-news
  • 10 May, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીને મંજૂર કરી છે. કોર્ટે 1 જૂન સુધી તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરતું એક સોગાંદનામું કોર્ટ સમક્ષ દાખલ કર્યું હતું. બીજી તરફ લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાની તૈયારી છે. એવું પ્રથમ વખત બનશે કે કોઈ રાજકીય પાર્ટીને કોઈ ક્રિમિનલ કેસમાં અપરાધી બનાવવામાં આવશે. 

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) દ્વારા કોર્ટમાં કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતું સોગાંદનામું દાખલ કરવામા આવ્યું હતું. આ સોગાંદનામામાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને વચગાળાના જામીન એટલે ન આપવામાં આવે કારણ કે રાઈટ ટું કેમ્પેન એ કાયદાકીય હક્ક છે, તે કોઈ બંધારણીય હક નથી. સિબ્બલે કહ્યું હતું કે આ વાત સાચી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને સજા થઈ હોય અને કોર્ટે પણ એવું કહ્યું હોય કે તે સજા પર સ્ટે આપે છે અને તે વ્યક્તિ ચૂંટણી પ્રચારમાં ભાગ લે છે, તો તેમને જ પૂછો કે કઈ રીતે હાર્દિક પટેલ ચૂંટણી લડી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎