:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તનનો મામલો: આપે આ મામલે જરૂરી કાર્યવાહીની ખાતરી આપી, રાજ્યસભાના સાંસદે આ મામલે કરી હતી પ્રેસ કોન્ફરન્સ

top-news
  • 14 May, 2024

આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તન થયું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે મંગળવારે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં તેમણે આ વાતન ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બિભવ કુમારે તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આ વાતની નોંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લીધી છે અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

સંજય સિંહે કહ્યું કે સ્વાતિ માલીવાલે દેશ અને સમાજ માટે મોટા કામ કર્યા છે. સ્વાતિ માલીવાલ પાર્ટીની જૂના અને સીનિયર લીડરમાંથી એક છે. આપણે સૌ તેમની સાથે છીએ. ભાજપે પણ મંગળવારે આ મામલે હોબાળો કર્યો અને કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે.

ભાજપ કોર્પોરેટરોએ દિલ્હી નગર નિગમની બેઠકમાં સ્વાતિ માલીવાલના મુદ્દે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. મંગળવારે 11 વાગ્યે દિલ્હી નગર નિગમની બેઠકમાં મેયર શૈલી ઓબેરોય પોતાની સીટ પર પહોંચતા જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎