:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સામે આવ્યા તસ્વીરો, છેલ્લાં 10 દિવસથી 41 જિંદગી બચાવવા ટનલમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન

top-news
  • 21 Nov, 2023

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરો માટે 6 ઈંચની પાઈપલાઈન નવી લાઈફલાઈન બની ગઈ છે. પહેલીવાર આ પાઇપ દ્વારા કામદારોને ગરમ ખોરાક મોકલવામાં આવ્યો હતો અને હવે તેની તસવીરો પણ સામે આવી છે. રાહતની વાત એ છે કે સુરંગમાં કાટમાળના ઢગલા પાછળ કામદારો સ્વસ્થ દેખાઈ રહ્યા છે. આ તમામ સુરંગમાં કાટમાળ પડવાને કારણે 10 દિવસથી ફસાયેલા છે.

12 નવેમ્બરે ભૂસ્ખલન થયા બાદ સિલ્ક્યારા ટનલનો કેટલોક ભાગ તૂટી પડતાં 41 બાંધકામ કામદારો ફસાયા હતા. અત્યાર સુધી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 ઈંચની કોમ્પ્રેસર પાઈપલાઈન દ્વારા કામદારોને હલકી ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવતી હતી. સોમવારે, બચાવ ટીમે ટનલના અવરોધિત ભાગને ડ્રિલ કરવામાં અને કાટમાળમાં 53 મીટર લાંબી છ ઇંચની પાઇપલાઇન નાખવામાં સફળ રહ્યા હતા. જેના દ્વારા કામદારોને મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થો, સંદેશાવ્યવહારના સાધનો અને અન્ય આવશ્યક વસ્તુઓની સપ્લાય કરી શકાય છે.

ઉત્તરાખંડ હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓને ચાલુ બચાવ કામગીરી અને ટનલમાં લેવાયેલા પગલાં અંગે 48 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું હતું. હાઈકોર્ટનો આ નિર્દેશ દેહરાદૂન સ્થિત એનજીઓ સમાધાન દ્વારા આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર આવ્યો છે. હાઈકોર્ટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને પણ નોટિસ પાઠવી છે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎